AMRELI : રાજુલામાં વનકર્મીઓની દુકાનદાર પર દાદાગીરી, સિંહના CCTV ફૂટેજ મીડિયાને નહીં આપવા ધમકી

|

Jul 29, 2021 | 12:56 PM

મીડિયામાં વીડિયો આવવાને કારણે વનકર્મીઓની બેદરકારી છતી થઇ છે. પોતાની બેદરકારીને દબાવવા વનકર્મીઓ દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

AMRELI : રાજુલામાં વનકર્મીઓની દુકાનદાર પર દાદાગીરીની ઘટના સામે આવી છે.વનવિભાગના કર્મચારીઓએ દુકાનદારને ધમકી આપતા કહ્યું કે ગામમાં લટાર મારતા સિંહના CCTV ફૂટેજ મીડિયાને આપવા નહીં. આ CCTV દુકાનની સુરક્ષા માટે છે જાનવરના વીડિયો વાયરલ કરવા નહીં. સિંહ આરક્ષિત પ્રાણી હોવાથી શૂટિંગ ના ઉતારી શકાય એવું કહી વનવિભાગના કર્મચારીઓએ દુકાનદારને ધમકી આપી હતી. મીડિયામાં વીડિયો આવવાને કારણે વનકર્મીઓની બેદરકારી છતી થઇ છે. પોતાની બેદરકારીને દબાવવા વનકર્મીઓ દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વનકર્મીઓની દાદાગીરી સામે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.

આ પણ વાંચો : AHMEDABAD : કોરોનાના કેસો ઘટતા અન્ય બીમારીની ઓપીડીમાં વધારો, દરરોજ 2500 થી 3000 નવા કેસો 

આ પણ વાંચો : MEHSANA : બહુચરાજીના છેટાસણા ગામમાં મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થતા કિશોરીનું ઘટનાસ્થળે મોત

Next Video