કેટલી જૂની છે અમદાવાદમાં ‘જગન્નાથજી ભગવાનની રથયાત્રા’ની પરંપરા, જાણો સમગ્ર ઈતિહાસ

|

Jul 04, 2019 | 1:19 AM

1876માં મહામંડળેશ્વર નૃસિંહદાસજી દ્વારા રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો એ પછી દર વર્ષે અષાઢી બીજીના દિવસે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે.  આ રથયાત્રામાં ભક્તો દિલથી જોડાઈ છે અને ભગવાનના દર્શન કરે છે.  ભગવાન દર્શન આપવા માટે નગરમાં ફરે છે અને લોકો ભગવાનના દર્શન કરી શકે છે.  આ પરંપરા બહુ જૂની છે અને એવું કહેવાય છે […]

કેટલી જૂની છે અમદાવાદમાં જગન્નાથજી ભગવાનની રથયાત્રાની પરંપરા, જાણો સમગ્ર ઈતિહાસ

Follow us on

1876માં મહામંડળેશ્વર નૃસિંહદાસજી દ્વારા રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો એ પછી દર વર્ષે અષાઢી બીજીના દિવસે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે.  આ રથયાત્રામાં ભક્તો દિલથી જોડાઈ છે અને ભગવાનના દર્શન કરે છે.  ભગવાન દર્શન આપવા માટે નગરમાં ફરે છે અને લોકો ભગવાનના દર્શન કરી શકે છે.  આ પરંપરા બહુ જૂની છે અને એવું કહેવાય છે કે 140 વર્ષોથી ચાલી આવે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

એવો ઈતિહાસ છે કે આશરે 400 વર્ષ પહેલાં જ હનુમાનદાસજીએ જગન્નાથ મંદિરમાં પોતાની ગાદીની સ્થાપના કરી હતી. ત્યારબાદ સારંગજદાસજી આવ્યા અને તેઓએ જગન્નાથજી, બળદેવજી અને દેવી સુભદ્વાજીની મૂર્તિઓ મંગાવીને મંદિરમાં સ્થાપના કરી. આ મંદિરમાં જગન્નાથજી ભગવાનની મૂર્તિ સ્થાપવામાં આવી એટલે જ મંદિરનું નામ પણ જગન્નાથજી મંદિર પડી ગયું. 

આ પણ વાંચો:  રવિન્દ્ર જાડેજા અને પૂર્વ ખેલાડી સંજય માંજરેકર સોશિયલ મીડિયામાં બાખડ્યા, જાણો શું હતું કારણ?

લોકવાયકામાં તો એવું વર્ણન કરવામાં આવ્યું છે કે ભરુચમાં રહેતાં ખલાસ કોમના ભક્તોએ રથયાત્રાની જવાબદારી લીધી હતી. તેમણે નારિયેળના ઝાડમાંથી ભગવાન જગન્નાથ, બળદેવજી અને સુભદ્રાજી માટે રથ પણ તૈયાર કરીને અમદાવાદ પહોંચાડ્યા હતા.  1876ના વર્ષમાં રથયાત્રાની શરુઆત થઈ અને તે આજે પણ ચાલું છે.  નરસિંહદાસજી મહારાજે જે રથયાત્રા કાઢી તેમાં ભગવાનને રથમાં નહીં પણ બળદગાડામાં બેસાડ્યા હતા. ધીરેધીરે આ બદલાવ આવતો ગયો અને હવે રથમાં ભગવાન નગરમાં ફરવા નીકળે છે અને પોતાના વ્હાલા ભક્તોને દર્શન આપે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હાલ અમદાવાદમાં રથયાત્રાએ મોટું સ્થાન પામી લીધું છે અને તે પ્રખ્યાત પણ બની છે. અન્ય રાજ્યોમાથી પણ સાધુ-સંતો અને ભક્તો આવીને આ રથયાત્રામાં જોડાઈ અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. રથયાત્રાએ કોમી એકતાનું પ્રતિક બની ગયી છે અને અમદાવાદમાં વિવિધ કોમના લોકો દ્વારા તેનું ઠેરઠેર સ્વાગત પણ કરવામાં આવે છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article