
લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી ચુક્યા છે. આગામી ચૂંટણી વિકાસના નામે લડાઈ રહી છે. સાશકો વિકાસનું ચિત્ર દર્શાવી વોટ માંગી રહ્યા છે તો વિપક્ષ વિકાસના વાયદા કરી મત માંગી રહ્યું છે. વિકાસની વાતો અને વાયદામાં ગુજરાતના 500 લોકો કેમ વિસરાઈ ગયા તે પ્રશ્ન ઉઠી રહ્યો છે જેમનું જીવન હજુ પણ સૈકા જૂની જીવનશૈલી અનુરૂપ છે… વિકાસની વાતો વચ્ચે ગુજરાતમાં નેશનલ હાઇવેથી માંડ 25-30 કિલોમીટરના અંતરે એક એવો વિસ્તાર આવેલો છે જ્યાંના લોકો પાસે પાયાની સુવિધા પણ ઉપલબ્ધ નથી. અમે વાત કરી રહ્યા છે ભરૂચ અને સુરત જિલ્લાની વચ્ચે આવેલા ટાપુ અલીયા બેટની…જ્યાંના લોકો પાયાની એકપણ સુવિધા આઝાદીના 7 દાયકા પછી પણ હાંસલ કરી શક્યા નથી. પીવાના પાણી માટે સૌથી નજીક સ્ત્રોત 7 કિલોમીટરના અંતરે છે આ ટાપુ પાર રહેતા 500 લોકો વીજળી, પાણી , ગટર અને રસ્તાની પાયાની સુવિધા વગર જીવન જીવે છે. આજના આધુનિક સમયમાં આ સુવિધાઓ વગર જીવન અધૂરું લાગે છે પણ દયનિય હાલતમાં જીવતા આલીયાબેટના લોકોના સંઘર્ષની કહાની સાંભળીને દયાની...
Published On - 6:35 pm, Mon, 8 April 24