Ahmedabad : હવે ટૂંક સમયમાં જ દોડતી થઈ જશે સેમી હાઈસ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express). અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી આ ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવ્યુ છે. આજે અમદાવાદથી મુંબઈ વચ્ચે પ્રથમ ફુલ લેન્થ ટ્રાયલ (full length trial) કરવામાં આવ્યુ. અંદાજો લગાવાઈ રહ્યો છે કે હવે ટૂંક સમયમાં લોકોને પણ તેનો લાભ મળતો થઈ જશે. 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી આ ટ્રેન અમદાવાદથી મુંબઈ (Ahmedabad-mumbai) ફક્ત 6 કલાકમાં જ પહોંચાડી દેશે. વંદે ભારત એક્સપ્રેસ સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજીથી બનેલી છે. હાલના ટાઈમટેબલ પ્રમાણે, વંદે ભારત એક્સપ્રેસ સપ્તાહમાં 6 દિવસ દોડશે. જે અમદાવાદથી સવારે 7.25 કલાકે ઉપડી બપોરે 13.30 કલાકે મુંબઈ પહોંચશે. જ્યારે મુંબઇથી આ ટ્રેન બપોરે 14.40 કલાકે ઉપડીને રાતે 21.05 કલાકે અમદાવાદ પહોંચશે. વડોદરા અને સુરત ખાતે આ ટ્રેનનું કોમર્શિયલ સ્ટોપેજ રહેશે. અમદાવાદ મુંબઈ વચ્ચે 491 કિલોમીટરનું અંતર આ ટ્રેન 6થી 6.25 કલાકમાં પૂર્ણ કરશે.
અનેક ખાસિયતો ધરાવતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું અમદાવાદ થી મુંબઈ (Ahmedabad-mumbai) વચ્ચે ટ્રાયલ રન (train trial run) શરૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2014માં કેન્દ્ર સરકાર બદલાયા બાદ સૌથી મોટા ફેરફાર આવ્યા હોય તેમાંનો એક વિભાગ એટલે કે રેલવે વિભાગ. માત્ર 18 મહિનામાં તૈયાર થયેલી અને સંપૂર્ણપણે ભારતમાં જ તૈયાર થયેલી વંદે ભારત એક્સપ્રેસને T- 18 તરીકે પણ ઓળખવામાં આવે છે.
જેમાં એક વોલ્ટ વડોદરા અને ત્યારબાદ સીધી જ મુંબઈ સેન્ટ્રલ (Mumbai) ખાતે તેની કામગીરી કરવામાં આવી.થોડા દિવસ અગાઉ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે (Union rail minister Ashwini Vaishnaw)પણ સોશિયલ મીડિયા પર આ ટ્રેનની ઝડપનો વીડિયો શેર કરતા કહ્યું હતું કે આત્મ નિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે કે વંદે ભારત… આ વીડિયોમાં ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતી જોવા મળી રહી છે.માત્ર 18 મહિનામાં તૈયાર થયેલી અને પૂરેપૂરી ભારતમાં જ તૈયાર થયેલી વંદે ભારત એક્સપ્રેસને T- 18 તરીકે પણ ઓળખવામાં આવે છે.
અમદાવાદ થી મુંબઈ અને મુંબઈ થી અમદાવાદ અવરજવર કરતા લોકોની (Passengers) સંખ્યામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ મોટો વધારો નોંધાયો છે, ત્યારે સમય અને જરૂરિયાત પ્રમાણે આ બંને શહેરો વચ્ચે જુદી- જુદી રીતે કનેક્ટિવિટી વધારવામાં આવી રહી છે. વંદે ભારત એક્સપ્રેસ શરૂ થયા બાદ અમદાવાદીઓ માત્ર છ કલાકમાં જ મુંબઈ પહોંચી શકશે.જો વિગતે વાત કરીએ તો વંદે ભારત ટ્રેનમાં કુલ 16 કોચ કાર્યરત છે, આ ટ્રેનની ખાસિયત એ છે કે આ ટ્રેનની સીટ 180 ડિગ્રી સુધી ફરી શકે તેમ છે અને સેમી ઓટોમેટિક ફુલ એરકન્ડિશન (AC) થી સજ્જ આ ટ્રેનમાં અનેક સુવિધાઓ આપવામાં આવી છે.
સંપૂર્ણપણે ભારતના ચેન્નઈમાં તૈયાર થયેલી આ ટ્રેન અગાઉ બે રૂટ ઉપર દોડી રહી છે, પરંતુ વિશેષ અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ થનાર વંદે ભારત એક્સપ્રેસમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે અને કેટલાક સુધારા પણ કરવામાં આવ્યા છે. એ તરફ ગુજરાત (Gujarat) સતત અનેક ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહ્યું છે ત્યારે વંદે ભારત એક્સપ્રેસ નું નવું સોપાન ગુજરાતની અને ખાસ કરીને રેલ વિભાગની શક્તિમાં વધારો કરશે.
Published On - 9:15 am, Fri, 9 September 22