Rath Yatra LIVE : 144ની રથયાત્રા લઈને સૌ કોઈ ઉત્સાહિત છે. પરંતુ કોરોનાની ગાઇડલાઇન મુજબ જ રથયાત્રા નીકળશે. રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આવી પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નાગરિકોને અષાઢી બીજની શુભેચ્છા પાઠવી હતી. કચ્છી લોકોને નવા વર્ષેની શુભેચ્છા પાઠવી હતી.
આ સાથે જ મંદિર પરિસરમાં રહેલા ગજરાજ વિષે પણ વાત કરી હતી. આ સાથે જ લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન કરવા અપીલ કરી હતી. મંદિરમાં 7 વર્ષના ગજરાજ બલરામનું અનેરું મહત્વ છે. આ ગજરાજને આસામથી ગુજરાત લાવવામાં આવ્યો છે. બલરામ આસામથી આવ્યા બાદ આ મંદિરમાં જ દર્શન આપે છે.
Published On - 5:29 am, Mon, 12 July 21