Gujarati NewsGujaratAhmedabadRailway news: Ahmedabad Howrah train will run again from September 4, due to interlocking in Jabalpur, the routes of some trains have changed
Railway news: 4 સપ્ટેમ્બરથી અમદાવાદ-હાવડા ટ્રેન ફરી દોડશે, જબલપુરમાં ઇન્ટરલોકિંગને કારણે કેટલીક ટ્રેનોના રૂટ બદલાયા
પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર (Jabalpur) મંડળના કટની-બીના સેક્શન પર ઇસરવાડા-નરયાવલી સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇન કનેક્ટિવિટી સંબંધિત નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો બદલાયેલા રૂટ પર દોડશે.
પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા ટ્રેન નંબર 12833/12834 અમદાવાદ-હાવડા-અમદાવાદ એક્સપ્રેસને (Ahmedabad-Howrah Express) 04 સપ્ટેમ્બર 2022થી પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. પૂર્વમાં આ ટ્રેન, દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાં નાગપુર ડિવિઝનના કચેવાની સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક (Block) હોવાને કારણે 30.08.2022 થી 04.09.2022 સુધી રદ કરવામાં આવી હતી. પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર (Jabalpur) મંડળના કટની-બીના સેક્શન પર ઇસરવાડા-નરયાવલી સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇન કનેક્ટિવિટી સંબંધિત નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો બદલાયેલા રૂટ પર દોડશે.
જબલપુર મંડળમાં નોન ઈન્ટરલોકીંગ કાર્ય ને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો બદલાયેલા રૂટ પર દોડશે જેની વિગતો આ મુજબ છે
02 અને 03 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ સંત હિરદારામ નગર-ભોપાલ-ઈટારસી-જબલપુર-કટની થઈને રૂપાંતરિત રૂટ પર દોડશે.
01 અને 02 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ કટની-જબલપુર-ઈટારસી-ભોપાલ-સંત હિરદારામ નગર થઈને રૂપાંતરિત રૂટથી ચાલશે.
ફિરોઝપુર મંડળ પર નોનઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે
ઉત્તર રેલવેના ફિરોઝપુર મંડળના બાડીબ્રાહ્મણ સ્ટેશન પર સેટેલાઇટ ટર્મિનલના વિકાસ માટે નોનઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે.
06 થી 12 સપ્ટેમ્બર 2022 સુધી ટ્રેન નંબર 19223 અમદાવાદ-જમ્મુતવી એક્સપ્રેસ ટ્રેન પઠાણકોટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.