કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાર બાદ ગાંધીનગર ખાતે જવા રવાના થયા હતા. પીએમ પીએમ મોદી 16મી જુલાઇએ ગુજરાતમાં રેલવેના કેટલાંક મહત્વના પ્રોજેક્ટસનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કરશે અને પરિયોજનાઓ દેશને સમર્પિત કરશે. જેના ભાગરૂપે કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ આ કાર્યક્રમ દરમ્યાન ગાંધીનગર રેલ્વે સ્ટેશને હાજર રહેશે.