રાજ્યમાં કોરોનાની સ્થિતિ (Corona Condition)સામાન્ય થતા સરકાર દ્વારા છુટછાટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન (Guideline) મુજબ, કોરોના ગાઈડલાઈન સાથે ટ્યુશન ક્લાસીસ ખોલવાની મંજુરી આપવામાં આવી છે.
કોરોનાનાં વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્યમાં તમામ શૈક્ષણિક સંસ્થાને (Education Organization)બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે છેલ્લા દોઢ વર્ષથી ટ્યુશન ક્લાસીસ બંધ હતા. ત્યારે ટ્યુશન ક્લાસીસને ગાઈડલાઈન સાથે ખોલવાની મંજુરી મળતા સંચાલકોએ સરકારના નિર્ણયને (decision)આવકાર્યો છે.
મહત્વનું છે કે, એક મહિનાથી ટ્યુશન અને ક્લાસીસના સંચાલકો દ્વારા રાજ્ય સરકારને આવેદનપત્ર આપીને ટ્યુશન ખોલવા માટે માંગ કરવામાં આવી હતી. ત્યારે આવતીકાલથી રાજ્યમાં 15000 થી વધુ ક્લાસીસ શરૂ થશે.
ક્લાસીસનાં સંચાલકોનું કહેવું છે કે,”છેલ્લા 18 મહિનાથી શૈક્ષણિક પ્રવુતિઓ (Education Activity) હતી અને ઓનલાઈન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને જરૂરથી ફાયદો થશે.”
ઉલ્લેખનીય છે કે, ખાનગી ટ્યુશન ક્લાસીસ સંચાલકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે અને હાલ 50 % વિદ્યાર્થીઓ સાથે ક્લાસીસને(Classis) ખોલવા મંજુરી આપવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat : રાજ્યમાં રાહતના સમાચાર, આગામી બે દિવસ બાદ વરસશે વરસાદ
Published On - 10:36 am, Fri, 9 July 21