Rahul Gandhi ને માનહાની કેસમાં હાઇકોર્ટમાંથી મળશે ‘રાહત’ કે પછી બરકરાર રહેશે ‘આફત’

માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની ધરપકડના નિર્ણય પર 3 મે સુધી રોક લગાવવામાં આવી છે. તેને કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે. જ્યાં સુધી સજા પર સ્ટે માંગતી અરજી પર નિર્ણય ના આવે ત્યાં સુધી રાહુલને આપવામાં આવેલ જામીન લાગુ રહેશે.

Rahul Gandhi ને માનહાની કેસમાં હાઇકોર્ટમાંથી મળશે રાહત કે પછી બરકરાર રહેશે આફત
Rahul Gandhi Highcourt
| Edited By: | Updated on: May 01, 2023 | 7:22 PM

ગુજરાત હાઇકોર્ટેમાં મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્યનો ફેંસલો થવાનો છે. જેમાં તેમને  સેશન્સ કોર્ટમાંથી ઝટકો લાગ્યા બાદ  હાઇકોર્ટેનમાં અપીલ કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પણ ‘મોદી સરનેમ’ના નિવેદનને લગતા ફોજદારી માનહાનિના કેસમાં ગુજરાતની સુરત સેશન્સ કોર્ટમાંથી ઝટકો લાગ્યો હતો. નીચલી કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની સજા સંભળાવી હતી. જો રાહુલ ગાંધીને સેશન્સ કોર્ટ દ્વારા રાહત મળી હોત તો લોકસભામાં તેમના સસંદસભ્ય પદને ફરી યથાવત કરવાનો માર્ગ મોકળો થઈ શક્યો હોત. જો કે તેની બાદ હવે રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્યનો ફેંસલો  મંગળવારે હાઇકોર્ટમાં થવાનો છે.

આ કેસમાં રાહુલ ગાંધીની ધરપકડના નિર્ણય પર 3 મે સુધી રોક લગાવવામાં આવી છે. તેને કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે. જ્યાં સુધી સજા પર સ્ટે માંગતી અરજી પર નિર્ણય ના આવે ત્યાં સુધી રાહુલને આપવામાં આવેલ જામીન લાગુ રહેશે.

રાહત ન મળતા ચૂંટણી લડી શકશે નહીં!

હાઇકોર્ટમાંથી રાહત ન મળતા રાહુલ ગાંધી ઓછામાં ઓછી બે લોકસભા ચૂંટણી લડી શકશે નહીં તે નિશ્ચિત છે. આવી સ્થિતિમાં ગાંધી પરિવારના નેતૃત્વ વિના કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણી મેદાનમાં ઉતરશે કે કેમ તે અંગે શંકા છે. આ સ્થિતિમાં કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને સામે લાવીને ચૂંટણીમાં ઉતરી શકે છે. રાહુલની ગેરલાયકાત બાદ પ્રિયંકા જે રીતે સામે આવી છે અને કેન્દ્ર સરકાર અને પીએમ પર સીધા પ્રહારો કર્યા છે, તે તેના ઈરાદા દર્શાવે છે તે એ પણ જણાવે છે કે તે તેના ભાઈ સાથે ખભે ખભા મિલાવીને ઉભી છે. સામાન્ય રીતે પ્રિયંકા ભૂતકાળમાં આટલી આક્રમક જોવા મળી નથી.

રાહુલ સિવાય મોદી વિરુદ્ધ બીજું કોઈ બોલતું નથી

આ બધાં મૂલ્યાંકનો સિવાય રાજકારણમાં કંઈ પણ શક્ય છે. ક્યારેય શક્ય. ભલે રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હોય પરંતુ જિલ્લા કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટનો રસ્તો હજુ પણ ખુલ્લો છે. તેઓ ગમે ત્યાંથી રાહત મેળવી શકે છે. જોકે, તેણે પોતાને નિર્દોષ સાબિત કરવા પડશે. અત્યાર સુધી રાહુલ ગાંધી સિવાય વિપક્ષનો કોઈ મોટો નેતા એવો નથી જે ખુલ્લેઆમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…