Gujarat High Court: તાઉ તે વાવાઝોડાને લઈને થયેલા નુકસાનના મુદ્દે પિટિશન, સરકારને તપાસ માટે ત્રણ અઠવાડિયાનો સમય

|

Jul 08, 2021 | 3:09 PM

તાઉ તે વાવાઝોડાને લઈને થયેલા નુકસાનના મુદ્દે હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. સર્વેમાં અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના ઘણા લોકોના નામ નહીં ઉમેરાયા હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

Gujarat High Court: રાજ્યમાં ત્રાટકેલા તાઉ તે વાવાઝોડાને (Cyclone Tauktae) એક મહિના કરતા વધુનો સમય વિતી ચૂક્યો છે. ત્યારે વાવાઝોડા(Cyclone)ને લઈને થયેલા નુકસાનના મુદ્દે હાઇકોર્ટમાં પિટિશન (Petition) કરવામાં આવી છે. જેમાં સર્વેમાં અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના ઘણા લોકોના નામ નહીં ઉમેરાયા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. સાથે જ સર્વેમાં અમુક ખોટા લોકો લાભ લઈ ગયા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.

હાઈકોર્ટમાં થયેલી અરજીમાં સર્વેમાં અમુક ખોટા લોકો લાભ લઈ ગયા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. સાથે જ જેમને ખરેખર નુકસાન થયું છે તેમને વળતર મળવું જોઇએ તેવી રજૂઆત કરાઈ હતી. મહત્વનું છે કે, આ અરજીને લઈને ગુજરાત સરકારે નિવેદનમાં જણાવ્યું કે જરૂરી તપાસ કરી અને યોગ્ય પગલાં લેવામાં આવશે. આ તપાસ માટે કોર્ટે રાજ્ય સરકારને ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે. સાથે જ ત્રણ અઠવાડિયામાં જરૂરી તપાસ કરીને કોર્ટમાં સોગંદનામું કરવા કોર્ટનો હુકમ પણ હાઈકોર્ટે કર્યો છે.

 

આ પણ વાંચો: અમિત શાહ સહકારી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, અમદાવાદ જિલ્લા સહકારી બેંકના રહી ચૂક્યા છે અધ્યક્ષ

 

આ પણ વાંચો: કરફ્યુ વચ્ચે અમદાવાદમાં નિકળશે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા, હાથી-અખાડા-ભજનમંડળી-ટ્રકને મંજૂરી નહી

 

Next Video