Gujarat Assembly Election 2022 : કોંગ્રેસ જનાધાર વધારવા અમદાવાદની 16 વિધાનસભા બેઠક પર પદયાત્રા યોજશે, આ મુદ્દાઓ સાથે જનતા દરબારમાં જશે

|

Aug 30, 2022 | 4:49 PM

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે જનાધાર વધારવા માટે કોંગ્રેસે(Congress)પદયાત્રાનો રસ્તો અપનાવ્યો છે. જેમાં આગામી 1-2 સપ્ટેમ્બરે કોંગ્રેસ અમદાવાદ શહેરની તમામ 16 વિધાનસભા બેઠક પર પદયાત્રા યોજશે.

Gujarat Assembly Election 2022 : કોંગ્રેસ જનાધાર વધારવા અમદાવાદની 16 વિધાનસભા બેઠક પર પદયાત્રા યોજશે, આ મુદ્દાઓ સાથે જનતા દરબારમાં જશે
Gujarat Congress Padyatra Ahmedabad

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પૂર્વે જનાધાર વધારવા માટે કોંગ્રેસે(Congress)પદયાત્રાનો (Padyatra) રસ્તો અપનાવ્યો છે. જેમાં આગામી 1-2 સપ્ટેમ્બરે કોંગ્રેસ અમદાવાદ શહેરની તમામ 16 વિધાનસભા બેઠક પર પદયાત્રા યોજશે.. પરિવર્તન સંકલ્પ પદયાત્રા થકી કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, શિક્ષણનું વ્યાપારીકરણ અને નશાખોરીના મુદ્દા લઈ જનતા દરબારમાં જશે. જેમાં જનજાગૃતિ માટે પદયાત્રા શ્રેષ્ઠ માધ્યમ છે ત્યારે કોંગ્રેસ આગામી સમયે પદયાત્રા થકી જનતા દરબારમાં પહોંચશે. અમદાવાદ શહેરમાં આવેલ 16 વિધાનસભા બેઠકો પર જનતાના પ્રજાલક્ષી મુદ્દાઓને ઉજાગર કરવા કોંગ્રેસ 1 અને 2 સપ્ટેમ્બરે પરિવર્તન સંકલ્પ પદયાત્રા યોજશે. જેમાં મોંઘવારી, બેરોજગારી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, શિક્ષણનું વ્યાપારીકરણ, નશાખોરી સહિતના મુદ્દાઓને લઈ કોંગ્રેસ શહેરી મતદાતાઓ સુધી દરેક વિધાનસભા માં 5 થી 7 કિલોમીટરની પદયાત્રા કરી પહોંચશે.

1 સપ્ટેમ્બર સવારે નિકળનાર પદયાત્રા

  1.  વેજલપુર વિધાનસભામાં જુહાપુરા ચાર રસ્તાથી શ્યામલ ચારરસ્તા સુધી પદયાત્રા
  2.  ઘાટલોડીયા વિધાનસભામાં કેકે નગર થી ભાડ ગામ સુધી
  3.  નારણપુરા વિધાનસભામાં શાસ્ત્રીનગર શાકમાર્કેટથી જુના વાડજ ગામ સુધી
  4.  સાબરમતી વિધાનસભામાં જીપીની ચાલી ધર્મનગર થી સિલ્વર સ્ટાર ચાર રસ્તા
  5. SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
    ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
    કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
    ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
    શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
    આજનું રાશિફળ તારીખ : 05-05-2024

1 સપ્ટેમ્બર સાંજે નિકળનાર પદયાત્રા

  1.  એલિસબ્રિજ વિધાનસભા માં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયથી વિજય ચાર રસ્તા સુધી પદયાત્રા.
  2.  દાણીલીમડા વિધાનસભામાં ગોમતીપુર ફુવારા થી બહેરામપુરા ખેડૂત માર્કેટ સુધી.
  3.  જમાલપુર-ખાડિયા વિધાનસભામાં બહેરામપુરા મેલડી માતાના મંદિરથી સારંગપુર દરવાજા સુધી
  4.  દરિયાપુરમાં નવતાડ રામદેવપીર મંદિર ચોકથી શાહપુરવડ થી મિલ કમ્પાઉન્ડ સુધી.

2 સપ્ટેમ્બર સવારે નિકળનાર પદયાત્રા

  1. નિકોલ વિધાનસભામાં ઓઢવ છોટાલાલની ચાલીથી ઠક્કરનગર એપ્રોચ સુધી.
  2. મણિનગર વિધાનસભામાં નારોલ સર્કલથી ખોખરા સર્કલ સુધી.
  3. અમરાઈવાડી વિધાનસભામાં હાટકેશ્વર સર્કલથી આનંદનગર કોલોની પૂજા વિદ્યાલય સુધી.
  4.  વટવા વિધાનસભા વસ્ત્રાલ આરટીઓ થી રામોલ ગામ સુધી

2 સપ્ટેમ્બર સાંજની પદયાત્રાઓ

  1.  અસારવા વિધાનસભામાં શાહીબાગથી મોહન સિનેમા સર્કલ સુધી.
  2.  ઠક્કરબાપાનગર વિધાનસભામાં માધવ મોલ થી સરદાર ચોકથી મેમકો વીર સાવરકર સર્કલ સુધી
  3.  બાપુનગર વિધાનસભામાં આંબેડકર હોલ ચારરસ્તાથી લાલ બહાદુર સ્ટેડિયમ ચાર રસ્તા સુધી
  4.  નરોડા વિધાનસભા મેઘાણીનગરથી રામેશ્વર ચાર રસ્તાથી ઇન્દિરાબ્રિજ સુધી

હાલ કોંગ્રેસે માત્ર અમદાવાદ શહેર પૂરતી જ પડયાત્રાની જાહેરાત કરી છે, જો કે આગામી સમયે પડયાત્રાના વિચારને તમામ વિધાનસભા બેઠકો પર લઇ જવામાં આવશે. રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા રોહન ગુપ્તાએ નિવેદન આપતા જણાવ્યું કે અમદાવાદ શહેરે ભારતીય જનતા પાર્ટીને સતત પ્રેમ આપ્યો છે, જો કે સામે પક્ષે ભાજપ સરકારે તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે.. અમદાવાદ પર સૌથી વધુ વેરા નાખ્યા અને વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જાય એવી સુવિધા આપી છે ત્યારે જનતાનો સાથ મેળવવા કોંગ્રેસ રસ્તા પર ઉતરશે.

Published On - 4:47 pm, Tue, 30 August 22

Next Article