Good News : અમદાવાદમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો પર આ તારીખે યોજાશે પાસપોર્ટ મેળો, ઝડપથી બુક કરો એપોઇન્ટમેન્ટ

ગુજરાતમાંથી વિદેશ જવા માટે પાસપોર્ટની માગ વધી રહી છે. જેમાં અમદાવાદ શહેરમાં પણ પાસપોર્ટની માગ વધી રહી છે. તેવા સમયે અમદાવાદમાં આવેલા પાસપોર્ટ સેવા કેન્દ્રો ખાતે પાસપોર્ટ મેળાનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની માટે અમદાવાદમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો પર 25 માર્ચ અને શનિવારના રોજ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે

Good News : અમદાવાદમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો પર આ તારીખે યોજાશે પાસપોર્ટ મેળો, ઝડપથી બુક કરો એપોઇન્ટમેન્ટ
Ahmedabad Passport Office
| Edited By: | Updated on: Mar 22, 2023 | 10:16 PM

ગુજરાતમાંથી વિદેશ જવા માટે પાસપોર્ટની માગ વધી રહી છે. જેમાં અમદાવાદ શહેરમાં પણ પાસપોર્ટની માગ વધી રહી છે. તેમજ નવા પાસપોર્ટ માટે અરજદારોને એપાઈનમેન્ટ માટે લાંબા વેઇટિંગનો સામનો કરવો પડે છે. તેવા સમયે અમદાવાદમાં આવેલા પાસપોર્ટ સેવા કેન્દ્રો ખાતે પાસપોર્ટ મેળાનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની માટે અમદાવાદમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો પર 25 માર્ચ અને શનિવારના રોજ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેના લીધે અરજદારો માટે એપોઇન્ટમેન્ટના વેઇટિંગમાં ઘટાડો થશે.  જ્યારે અરજદારો તેમની એપોઇન્ટમેન્ટ પાસપોર્ટ સેવા પોર્ટલ (www.passportindia.gov.in)પર બુક કરાવી શકશે.

 

25 માર્ચના રોજ યોજાનાર પાસપોર્ટ મેળા માટે તેમની એપોઇન્ટમેન્ટ ફરીથી શિડ્યૂલ કરી શકે છે

જેમાં જણાવવામાં આવ્યું છે કે, અરજદારો કે જેમણે તેમની એપોઇન્ટમેન્ટ પહેલેથી જ બુક કરાવી લીધી છે તેઓ 25 માર્ચના રોજ યોજાનાર પાસપોર્ટ મેળા માટે તેમની એપોઇન્ટમેન્ટ ફરીથી શિડ્યૂલ કરી શકે છે. આ ઉપરાંત અરજદારો જો તેમને આપવામાં આવેલા સમયે હાજર નહિ રહે તો તેમને ફરી બીજી તારીખ પસંદ કરવાની તક આપવામાં આવશે નહિ . આ ઉપરાંત ‘તત્કાલ’ શ્રેણી હેઠળ અરજી કરવા માટે અરજદારોએ વેબસાઇટ પર ‘ડૉક્યુમેન્ટ ઍડવાઇઝર’માં દર્શાવેલા દસ્તાવેજોની સૂચિમાંથી ત્રણ દસ્તાવેજ પ્રસ્તુત કરવા ફરજિયાત હશે.

તત્કાલ યોજના હેઠળ અરજી કરનારા અરજદારોએ વેબસાઈટ પર ઉપલબ્ધ બાંયધરી પત્ર ડાઉનલોડ કરવો પડશે અને અરજી સબમિટ કરતી વખતે તેને પાસપોર્ટ સેવા કેન્દ્રમાં જમા કરાવવો પડશે.

દૈનિક પાસપોર્ટની એપોઇમેન્ટની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ગુજરાતના ત્રણ શહેરોમાં પાસપોર્ટ ઓફિસ 25 ફેબ્રુઆરી અને 4 માર્ચના રોજ પણ કાર્યરત રાખવામાં આવ્યા હતા. તેમજ પાસપોર્ટની વધતી માંગને પગલે એપોઇન્ટમેન્ટ્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હાલમાં પાસપોર્ટ સેવાઓની વધતી  માંગણીને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ અમદાવાદના વિવિધ પાસપોર્ટ સેવા કેન્દ્રો અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો પર 20 ફેબ્રુઆરીના રોજથી દૈનિક પાસપોર્ટની એપોઇમેન્ટની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : IPL 2023 માં મેચના પરિણામ પર મોટી અસર સર્જી શકે એવા મોટા પરિવર્તન જોવા મળી શકે છે, જાણો શુ થશે ફેરફાર