અમદાવાદની સાબરમતી નદીને સ્વચ્છ કરવા આ સંસ્થા આગળ આવી

|

Oct 24, 2021 | 8:39 AM

ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ પણ સાબરમતી નું પ્રદૂષણ ન અટકતા સ્વૈચ્છિક સંસ્થાઓ હવે એક્શનમાં આવી છે. ગંગાની સફાઇ બાદ સાબરમતી સફાઇ બાબતે “ગંગા સમગ્ર” એ કામગીરી કરવા સંકલ્પ લીધો છે.

અમદાવાદની(Ahmedabad)સાબરમતી નદીને(Sabarmati River)વધુ પ્રદૂષિત(Pollution)થતી બચાવવા માટે ઉત્તર પ્રદેશની “ગંગા સમગ્ર”(Ganga Samagra) સંસ્થા આગળ આવી છે. જેમાં “ગંગા સમગ્ર” સંસ્થાના અગ્રણી અમદાવાદ આવ્યા હતા. તેમણે પોતાના વોલયન્ટર સાથે સાબરમતી નદીની આરતી કરીને તેને સ્વચ્છ કરવાનો સંકલ્પ કર્યો હતો. તેમજ સાબરમતીને ને સ્વચ્છ કરવા માટે અભિયાનની શરૂઆત પણ કરી હતી.

ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ પણ સાબરમતી નું પ્રદૂષણ ન અટકતા સ્વૈચ્છિક સંસ્થાઓ હવે એક્શનમાં આવી છે. ગંગાની સફાઇ બાદ સાબરમતી સફાઇ બાબતે “ગંગા સમગ્ર” એ કામગીરી કરવા સંકલ્પ લીધો છે.સાબરમતી નદી દિવસે દિવસે પ્રદૂષિત થઈ રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ બાબતે નિષ્ક્રિય જોવા મળ્યું છે બંને વિભાગના અધિકારીઓને સાબરમતીમાં થતાં પ્રદૂષણને રોકવા માં સહેજ પણ રસ ન હોય તેવું જોવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે હાલમાં સાબરમતી નદીના વધી રહેલા પ્રદૂષણને લઇને આકરું વલણ અપનાવ્યું છે. તેમજ સત્તાધીશોને જવાબદાર લોકો સામે પગલાં લેવા આદેશ કર્યો છે. તેમજ નદીમાં ઠલવાતા પ્રદૂષણ પાણીને તાત્કાલિક બંધ કરવા માટે પણ આદેશ આપ્યો છે.

જો કે નદીને શુદ્ધ બનાવવા માટે મ્યુનિ.તંત્રના સત્તાધીશો દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં ૧૦ કરોડ રૂપિયાની જોગવાઇ કરી હતી. આટલી માતબર રકમની ફાળવણી છતાંય સાબરમતી નદી પૂરેપૂરી શુદ્ધ થઇ નથી. રહેણાંક વિસ્તારોનું ગટરોનું બધુ ગંદુ પાણી સીધેસીધું સાબરમતી નદીમાં ઠલવાઇ રહ્યું છે, જે પ્રદુષણ વધારી રહ્યું છે

આ પણ વાંચો : નવસારીના વાડી વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો, પાણીજન્ય રોગોએ માથું ઉચક્યું

આ પણ વાંચો : અમદાવાદ : સીએનજીમાં ભાવવધારો થતાં રિક્ષાચાલકોની ભાડા વધારાની માંગ

Published On - 8:30 am, Sun, 24 October 21

Next Video