
અમદાવાદના નવંરગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આજે વહેલી સવારે આગ લાગી. ICU વોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતાઓ છે. મોડી રાત્રે લગભગ 3.30 કલાકે આ ઘટના બની હોવાની જાણકારી મળી રહી છે. હોસ્પિટલના ચોથા માળે આવેલા ICU વોર્ડમાં આ બનાવ બન્યો હતો. ત્યારે હવે ઘટનાના 4 કલાક બાદ મેયર ઘટના સ્થળ પર પહોંચ્યા છે. કલાકો બાદ પણ હોસ્પિટલ તરફથી કોઈ માહિતી મળી નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 2:54 am, Thu, 6 August 20