અરવિંદ કેજરીવાલ અને ભગવત માન સાથેની ખાસ મુલાકાત, જુઓ 10:30 વાગ્યે TV9 ગુજરાતી ચેનલ પર…

આ ખાસ મુલાકાતમાં અરવિંદ કેજરીવાલ અને ભગવત માનને ગુજરાતનું રાજકારણ, ભાજપ અને કોંગ્રેસ વિશેના તેમના વલણ તથા ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે તેમની આગામી રણનીતિ વિશે બંને નેતાઓએ ખાસ જાણકારી આપી હતી.

અરવિંદ કેજરીવાલ અને ભગવત માન સાથેની ખાસ મુલાકાત, જુઓ 10:30 વાગ્યે TV9 ગુજરાતી ચેનલ પર...
| Edited By: | Updated on: Apr 03, 2022 | 7:28 AM

દિલ્હી બાદ પંજાબમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ને મળેલી ધમાકેદાર જીત બાદ હવે પાર્ટીના મિશન ગુજરાત માટે આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલ (Arvind Kejriwal) તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન(Bhgwant Maan) ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે TV9 દ્વારા બંને નેતાઓ સાથે ખાસ મુલાકાત ગોઠવવામાં આવી હતી. જે આજે સવારે 10:30 વાગ્યે ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે.

આ ખાસ મુલાકાતમાં અરવિંદ કેજરીવાલ અને ભગવત માનને ગુજરાતનું રાજકારણ, ભાજપ અને કોંગ્રેસ વિશેના તેમના વલણ તથા ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે તેમની આગામી રણનીતિ વિશે બંને નેતાઓએ ખાસ જાણકારી આપી હતી. આ સાથે તેઓ કયા મુદ્દા સાથે ગુજરાતની જનતાની વચ્ચે આવવા માગે છે તે પણ જણાવ્યું હતું.

આમ આદમી પાર્ટીના બંને નેતાઓની ગુજરાત મુલાકાત અને અમદાવાદમાં રોડશોને શક્તિ પ્રદર્શન તરીકે જોવાઈ રહ્યો છે. રોડશોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે બંને નેતાનો ઉત્સાહ વધ્યો છે. કેજરીવાલ અને ભગવત માનના રોડશોમાં મુસ્લિમો પણ મોટી સંખ્યામાં જોડાયા હોવાથી ભાજપની સાથે કોંગ્રેસ પણ આ રોડ શોને ભંગીરતાથી લઈ રહી છે.


આ પણ વાંચોઃ Ahmedabad: અરવિંદ કેજરીવાલની રેલીમાં ભીડ એકત્ર કરવા નાણાં વહેચાયો હોવાના આક્ષેપ સાથે ભાજપે વિડીયો શેર કર્યો

આ પણ વાંચોઃ Porbandar : કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ માછીમારોની સમસ્યાઓને લઈને ધરણા કર્યા

Published On - 7:26 am, Sun, 3 April 22

Follow Us