વંદે ભારત ટ્રેન અંગે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે ટ્વિટ કરીને અગત્યની માહિતી આપી હતી કે વંદે ભારત ટ્રેન હવે મુંબઇના બોરિવલી સ્ટેશને ઉભી રહેશે. તેમજ આ ટ્રેન હવેથી રવિવારે પણ દોડાવવામાં આવશે. વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં માત્ર બુધવારે જ બંધ રહેશે
For hassle free travel, stoppage at Borivali Station is approved for Gandhinagar – Mumbai Central Vande Bharat Express.
Additionally the train will now run on all days from Sunday to Saturday except Wednesday. pic.twitter.com/Kee5sFvDug
— Darshana Jardosh (@DarshanaJardosh) January 14, 2023
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડતી હોય ત્યારે વારંવાર વચ્ચે પશુ આવી જતા આ ટ્રેન અત્યાર સુધીમાં ઘણી વાર અકસ્માતનો ભોગ બની છે ત્યારે હવે અવારનવાર બનતી આવી અકસ્માતની ઘટનાઓ અટકાવવા માટે રેલવે લાઇનની બંને તરફ 6 થી 7 મીટરના અંતરે સેફટી બેરિયર લગાવવામાં આવશે.રેલવે દ્વારા વડોદરા ડિવિઝનમાં સુરતથી અમદાવાદ રેલવે સ્ટેશન વચ્ચેની બંને બાજુ 140 કરોડના ખર્ચે થ્રી લેયર મેટલ ક્રેશ બેરિયર લગાવાશે. આ માટે પશ્ચિમ રેલવેએ બહાર પાડેલા ટેન્ડર 15 જેટલી કંપનીઓેએ રસ લીધો છે. મહત્વનું છે કે મુંબઈ-ગાંધીનગર વચ્ચે વંદે ભારત ટ્રેનનો પ્રારંભ પીએમ મોદીએ 30 સપ્ટેમ્બરના રોજ કરાવ્યો હતો.
વંદે ભારત એક્સપ્રેસની વિશેષતાની વાત કરવામાં આવે તો આ ટ્રેનમાં એટેન્ડન્ટ કોલ બટન, બાયો ટોયલેટ, ઓટોમેટિક ડોર, સીસીટીવી કેમેરા, રિક્લાઈનિંગ ફેસિલિટી અને આરામદાયક સીટોની સુવિધા રહેશે. આ ટ્રેન હવે બુધવાર સિવાય દરરોજ ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ જશે.
Published On - 7:36 am, Sun, 15 January 23