Rath Yatra 2021: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને લઈ તૈયારીઓ જોરોશોરથી ચાલી રહી છે. ત્યારે અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત કોર્પેરેશનના અધિકારીઓએ રથયાત્રાના રુટનું નિરીક્ષણ કર્યુ હતું. જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી શરુ કરી સમગ્ર રથયાત્રાના રુટ પર અધિકારીઓ ફર્યા. મહત્વપૂર્ણ છે કે ખાડા ઝડપી પૂરવા, રંગકામ જલ્દી કરવા માટે અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે.
આપને જણાવી દઈએ કે રથયાત્રા રુટ પર રથ સહિત વાહનોના કાફલા કે દર્શનાર્થીઓને કોઈ તકલીફ ન થાય તેની તકેદારી વર્ષોથી એએમસી હોદ્દેદારો અને પોલીસ અધિકારીઓ રાખે છે.
આ પણ વાંચો: Monsoon : લાંબા વિરામ બાદ ગુજરાતમાં મેઘરાજાની થશે રીએન્ટ્રી, 10 જુલાઈથી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે