Ahmedabad : પૂર્વોત્તર રેલવેમાં બ્લોકને કારણે રેલ સેવાને થશે અસર, જાણો કઇ ટ્રેનના શિડ્યુલ ખોરવાશે

|

Aug 09, 2023 | 4:02 PM

પૂર્વોત્તર રેલવે (North Eastern Railway) વારાણસી મંડળના ગોરખપુર કેન્ટ યાર્ડના રિમોડેલિંગ અને ગોરખપુર કેન્ટ-કુસુમ્હી સ્ટેશનની વચ્ચે ત્રીજી લાઇનના સંબંધમાં નોન -ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક પ્રસ્તાવિત કરાયો છે.

Ahmedabad : પૂર્વોત્તર રેલવેમાં બ્લોકને કારણે રેલ સેવાને થશે અસર, જાણો કઇ ટ્રેનના શિડ્યુલ ખોરવાશે

Follow us on

Ahmedabad : પૂર્વોત્તર રેલવે (North Eastern Railway) વારાણસી મંડળના ગોરખપુર કેન્ટ યાર્ડના રિમોડેલિંગ અને ગોરખપુર કેન્ટ-કુસુમ્હી સ્ટેશનની વચ્ચે ત્રીજી લાઇનના સંબંધમાં નોન -ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક પ્રસ્તાવિત કરાયો છે. જેના કારણે અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ અને ગાંધીધામ-ભાગલપુર વિશેષ ટ્રેનોને અસર થશે.

આ પણ વાંચો- Narmada: કૃષિપ્રધાન રાઘવજી પટેલે એક કાર્યક્રમમાં જાહેરમાં પીધો દેશી દારુ! ભુલ થઇ હોવાનો પણ કર્યો સ્વીકાર, જૂઓ Video

રદ કરાયેલી ટ્રેનની માહિતી

  •  તારીખ 11, 18 અને 25 ઓગસ્ટ, 2023 ના રોજ ગાંધીધામ થી ઉપડતી ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સ્પેશ્યલ એક્સપ્રેસ રદ રહેશે.
  •  તારીખ 14, 21 અને 28 ઓગસ્ટ, 2023 ના રોજ ભાગલપુર થી ઉપડતી ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સ્પેશ્યલ એક્સપ્રેસ રદ રહેશે.

શોર્ટ ટર્મિનેટેડ/ શોર્ટ ઓરિજિનેટેડ ટ્રેનની માહિતી

  •  તારીખ 23, 27 અને 29 ઓગસ્ટ 2023 ના રોજ અમદાવાદ થી ઉપડતી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ભટની જંક્શન સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટેડ (સમાપ્ત) થશે. અને ભટની અને ગોરખપુર વચ્ચે રદ રહેશે.
  •  તારીખ 24, 28 અને 30 ઓગસ્ટ 2023 ના રોજ ગોરખપુર થી ઉપડતી ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન ભટની જંકશન સ્ટેશન થી શોર્ટ ઓરિજિનેટેડ (શરૂઆત) થશે. અને ગોરખપુર અને ભટની જંક્શન વચ્ચે રદ્દ રહેશે.

મુસાફરોને આ ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવી છે. ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

10 ઓગસ્ટના રોજ ભાવનગરથી બાંદ્રા સુધી “સ્પેશિયલ ટ્રેન” દોડશે.

યાત્રિયોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર “સ્પેશિયલ ટ્રેન”ની 2 ટ્રીપ ચલાવવાનો નિર્ણય કર્યો છે.

સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે

  • ટ્રેન નંબર 09208/09207 ભાવનગર – બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09208 ભાવનગર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 10 ઓગસ્ટ, 2023 (ગુરુવારે) ના રોજ ભાવનગર ટર્મિનસથી 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પહોંચશે.
  • તેવી જ રીતે, ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ 11 ઓગસ્ટ, 2023 (શુક્રવારે) ના રોજ બાંદ્રા ટર્મિનસથી 09.15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
  • આ ટ્રેન ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે.

ટ્રેન નંબર 09208 અને 09207 માટે બુકિંગ 09 ઓગસ્ટ 2023 (બુધવાર) થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન અંગેની વિગતવાર માહિતી માટે યાત્રિયો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

(With Input-Darshal Raval, Ahmedabad)

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article