અમદાવાદઃ નૂપુર શર્માના નિવેદન મુદ્દે જુહાપુરામાં મુસ્લિમોની રેલી, ઘર્ષણ થતાં પોલીસે લાઠીચાર્જ કર્યો

જુહાપુરામાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. મુસ્લિમ મહિલા અગ્રણીઓને પોલીસ સાથે તકરાર થતાં કેટલીક મહિલા આગેવાનોની પણ અટકાયત કરવામાં આવી હતી.

અમદાવાદઃ નૂપુર શર્માના નિવેદન મુદ્દે જુહાપુરામાં મુસ્લિમોની રેલી, ઘર્ષણ થતાં પોલીસે લાઠીચાર્જ કર્યો
Police charged batons at a rally of Muslims in Juhapura
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2022 | 1:32 PM

નૂપુર શર્મા દ્વારા કરાયેલા મહોમ્મદ પયગંબર અંગેનાં નિવેદન (Prophet Controversy) મામલે અમદાવાદ (Ahmedabad) ના જુહાપુરામાં મુસ્લિમ અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજર રહીને રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. જોકે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દરમિયાન જુહાપુરામાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. મુસ્લિમ મહિલા અગ્રણીઓને પોલીસ સાથે તકરાર થતાં કેટલીક મહિલા આગેવાનોની પણ અટકાયત કરવામાં આવી હતી. જોકે જુહાપુરામા શાંતિ બાદ ફરી સ્થિતિ વણસતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

રાજકોટના રૈયા રોડ પર આવેલા આઝાદ ચોક પાસે નૂપૂર શર્માની ધરપકડની માગ કરતા પોસ્ટર મોટી સંખ્યામાં લાગ્યા હતા. જેની જાણકારી મળતા જ પોલીસે પોસ્ટર દૂર કર્યા. અને સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. તો બનાસકાંઠાના પાલનપુરના નૂપુર શર્મા સામે અભદ્ર ટિપ્પણી કરનારા ઈરફાન શેખને ખાનગી હોસ્પિટલના તંત્રએ નોકરીમાંથી હાંકી કાઢ્યો છે. સુરતમાં નૂપુર શર્માના નામે હિંસા ફેલાવવાનો પ્રયાસ કરતા અઠવાના ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી. આ શખ્સોએ વાયરલ વીડિયોમાં હિંસા કરવા માટે લોકોને ઉશ્કેર્યા. આ વીડિયોમાં ઉત્તરપ્રદેશ અને ઝારખંડ જેવી સ્થિતિ સુરતમાં કરવાનો ઉલ્લેખ કરાયો હતો. તો સાબરકાંઠાના હિંમતનગરમાં પૈગંબર વિશે અભદ્ર ટિપ્પણી કરનારા સામે ફરિયાદ નોંધી પોલીસે આરોપીને ઝડપવા તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં પણ ફેસબુક પ્રોફાઈલમાં નમાઝ પછી રોડ પર ઉતરવાની ભડકાઉ પોસ્ટ કરનારા સામે સાયબર ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધ્યો છે.

સુરતમાં નૂપુર શર્માના નામે હિંસા ફેલાવવાનો પ્રયાસ કરનારા અઠવાના ત્રણ શખ્સોની પોલીસે અટકાયત કરી. આ ત્રણ શખ્સોએ પોસ્ટર અને વીડિયો વાયરલ કરીને હિંસા ફેલાવવા માટે લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ વીડિયોમાં ઉત્તરપ્રદેશ અને ઝારખંડ જેવી સ્થિતિ સુરતમાં કરવાનો ઉલ્લેખ કરાયો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા ચેતી જજો

ગુજરાતની શાંતિ અને સલામતીમાં સોશિયલ મીડિયા થકી પલિતો ચાંપવાનો પ્રયાસ કરનારા સૌ ચેતી જજો. ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ કે અન્ય કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધાર્મિક લાગણીઓને દુભાવવાનો પ્રયાસ કરતા પહેલા સો વાર વિચારજો. ગુજરાતમાં પોલીસ અને સાયબર સેલના જવાનો ધર્મ અને વ્યક્તિ વિશેષને લઈ થતી વિવાદિત પોસ્ટ પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ભડકાઉ પોસ્ટ કરનારા અને લોકોને રસ્તા પર ઉતરવા માટે ઉશ્કેરનારા તમામ સામે કડક કાર્યવાહીની પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે. ગણ્યા-ગાંઠ્યા તોફાની તત્વોના વાંકે રાજ્યની કાયદો-વ્યવસ્થા ન બગડે તે માટે પોલીસ તંત્ર એલર્ટ છે. અને રાજ્યભરમાં ભડકાઉ પોસ્ટ કે પોસ્ટર લગાવનારા સામે કાર્યવાહી પણ થઈ રહી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">