Ahmedabad: અમદાવાદમાં પ્રાથમિક સુવિધાઓને લઈ વધી ફરિયાદો! દૈનિક દોઢ હજાર કરતા વધારેનો આંકડો

|

Sep 30, 2023 | 7:11 PM

અમદાવાદ મેટ્રો સીટી છે અને તમામ પ્રાથમિક સુવિધાઓ શહેરજનોને યોગ્ય રીતે મળી રહી હોવાના સાશકો દાવા કરી રહ્યા છે. શાસકોના તમામ દાવાઓને પોકળ સાબિત કરતા આંકડાઓ અમદાવાદ મહાનગર પાલિકાને પ્રાપ્ત થયા છે. છેલ્લા 28 દિવસમાં અમદાવાદ મનપાને પ્રાથમિક સુવિધા માટે 44,635 ફરિયાદો પ્રાપ્ત થઈ છે.

Ahmedabad: અમદાવાદમાં પ્રાથમિક સુવિધાઓને લઈ વધી ફરિયાદો! દૈનિક દોઢ હજાર કરતા વધારેનો આંકડો
દૈનિક દોઢ હજાર કરતા વધારેનો આંકડો

Follow us on

અમદાવાદ મેટ્રો સીટી છે અને તમામ પ્રાથમિક સુવિધાઓ શહેરજનોને યોગ્ય રીતે મળી રહી હોવાના સાશકો દાવા કરી રહ્યા છે. શાસકોના તમામ દાવાઓને પોકળ સાબિત કરતા આંકડાઓ અમદાવાદ મહાનગર પાલિકાને પ્રાપ્ત થયા છે. છેલ્લા 28 દિવસમાં અમદાવાદ મનપાને પ્રાથમિક સુવિધા માટે 44,635 ફરિયાદો પ્રાપ્ત થઈ છે. એટલકે રોજની 1594 ફરિયાદો અમદાવાદ મનપા ને પ્રાથમિક સુવિધાઓની મળી રહી છે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરમાં 21 વર્ષનો યુવક હાર્ટએટેકથી ઘરમાંજ ઢળી પડ્યો, રોબોટિક સાયન્સમાં કરિયર બનાવવાનુ હતુ સપનુ, જુઓ Video

મહાનગરપાલિકાના તમામ 48 બોર્ડમાં ફરિયાદોના નિવારણ માટે એક મહિના પહેલા ફરિયાદ નિવારણ સભા આયોજિત કરાઈ હતી. ત્યારબાદ શાસકો દ્વારા 80 ટકા ફરિયાદોનું નિવારણ થયું હોવાનો દાવો કરાયો હતો. જોકે છેલ્લા એક મહિના કરતા પણ ઓછા સમયમાં અમદાવાદ મનપાની પ્રાથમિક સુવિધાઓની 44 હજારથી વધુ ફરિયાદો પ્રાપ્ત થઈ છે.

સૌથી વધારે ફરિયાદ પશ્ચિમ ઝોનમાંથી

અમદાવાદ મનપાના વોર્ડ મુજબ અધિકૃત આંકડાઓ જણાવી રહ્યા છે કે છેલ્લા 28 દિવસમાં મનપા ને તમામ વિભાગોને કુલ 44635 ફરિયાદો પ્રાપ્ત થઈ છે. જેમાં સૌથી વધુ 9161 પશ્ચિમ ઝોનની, 8563 મધ્યઝોનની, 8535 ઉત્તર ઝોનની, 7759 દક્ષિણ ઝોનની, 5010 પૂર્વ ઝોન, 3505 ઉત્તર પશ્ચિમ અને સૌથી ઓછી 2102 ફરિયાદ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં નોંધાઇ છે. કુલ નોંધાયેલ ફરિયાદમાં સૌથી વધુ 20 હજાર 80 ફરિયાદ ડ્રેનેજની, 8915 ફરિયાદો લાઇટની, 6064 પાણી અને 3094 ફરિયાદો રસ્તાની મળી છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

અમદાવાદ મનપાના નેતા વિપક્ષ શેહઝાદ ખાન પઠાણે જણાવ્યું કે મનપા તંત્ર સબ સલામત અને સબ ચંગાનો દાવો કરે છે. ફરિયાદ નિવારણના કાર્યક્રમો છતાં પણ 28 દિવસમાં 44 હજારથી વધુ ફરિયાદો દર્શાવે છે કે મનપા તંત્ર માત્ર કાગળ પર જ કામગીરી કરે છે. જમીનીસ્તર પર કોઈ કામ કરવામાં આવતું નથી. આ ફરિયાદો શહેરીજનોએ કરી છે. કોંગ્રેસના કાર્યકરોએ નથી કરી. એક મહિના પહેલા આ જ શાસકોએ 80 ટકા ફરિયાદોનો નિકાલ કર્યો હોવા છતાં આટલી બધી ફરિયાદો મળી છે એનો મતલબ એ થાય છે તેઓ નિવારણ ના માત્ર દાવાઓ જ કરે છે.

જોકે હવે આ ફરિયાદોનુ પણ નિરાકરણ આવે એટલુ જ જરુરી છે. આ માટે હવે કોર્પોરેશન ચોમાસામાં ધોવાયેલા રસ્તાઓની મરામત કરવી સૌથી પહેલી જરુરીયાત છે. આ અંગેની ફરિયાદોનુ પ્રમાણમાં પણ વધારે જોવા મળી રહ્યુ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:06 pm, Sat, 30 September 23

Next Article