Ahmedabad : હવે જીવરાજ બ્રિજ ક્યાં સુધી બંધ રહેશે એની વાત. અમદાવાદમાં મેટ્રોનું અલગ અલગ જગ્યા પર કામ ચાલુ છે. તેમાં પણ જીવરાજ બ્રિજ પર મેટ્રો ટ્રેક માટેનો સ્લેબ ભરાવાનું ચાલુ હોવાથી જીવરાજ બ્રિજને 6 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડશે. જોકે કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેથી વાહનચાલકોએ ફરીને જવું પડશે. નોંધનીય છેકે શહેરભરમાં મેટ્રો રેલને લઇને કામકાજ ચાલી રહ્યું છે. ત્યારે આ પહેલા પણ જીવરાજ પાર્ક બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે વેજલપુર, જીવરાજ પાર્ક અને વાસણાના રહીશોને શિવરંજની જવા માટે ભારે અગવડો પડી હતી. ત્યારે ફરી છ દિવસ બ્રિજ બંધ રહેવાથી અનેક વાહનચાલકોને અગવડો ભોગવવી પડશે.