Ahmedabad : વસ્ત્રાલના રહીશો સામાન્ય વરસાદ પણ પરેશાન, પાણી ભરાતા રસ્તોઓ પણ બિસ્માર બન્યા

|

Jul 29, 2021 | 1:03 PM

સ્ત્રાલ. છેલ્લા 3 વર્ષમાં વસ્ત્રાલ ખૂબ વિકસી રહ્યું છે. પરંતુ પ્રાથમિક સુવિધાઓના નામે હજુ પણ આ વિસ્તારના સ્થાનિકોને કંઈજ મળ્યું નથી.પરિણામે સામાન્ય વરસાદમાં પણ ઠેર ઠેર ખાડા, કીચડ, તૂટેલા રોડ ખૂંદીને શહેરીજનોને ઘરેથી ઓફિસ, વેપાર-ધંધા માટે જવું પડે છે.

સ્માર્ટસિટી અમદાવાદ(Ahmedabad) માં સામાન્ય વરસાદમાં જ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે અને રસ્તાઓ (Road) ઉબડ-ખાબડ થઈ જાય છે. શહેરના મોટાભાગના વિસ્તારો રસ્તા પર ખાડા અને ભૂવાના સામ્રાજ્યથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવો જ એક વિસ્તાર છે વસ્ત્રાલ. છેલ્લા 3 વર્ષમાં વસ્ત્રાલ ખૂબ વિકસી રહ્યું છે. પરંતુ પ્રાથમિક સુવિધાઓના નામે હજુ પણ આ વિસ્તારના સ્થાનિકોને કંઈજ મળ્યું નથી.પરિણામે સામાન્ય વરસાદમાં પણ ઠેર ઠેર ખાડા, કીચડ, તૂટેલા રોડ ખૂંદીને શહેરીજનોને ઘરેથી ઓફિસ, વેપાર-ધંધા માટે જવું પડે છે.

વસ્ત્રાલ રિંગ રોડ પાસે આવેલ ઓમ સર્કલ નજીક છેલ્લા 3 વર્ષથી AMCદ્વારા પીવાની પાણીની ટાંકી બનાવાઈ છે જો કે તેના કનેક્શન વિવિધ સોસાયટીઓમાં હજુ સુધી પહોંચ્યા નથી આ કામગીરી હવે ચોમાસાની સીઝનમાં શરૂ કરવામાં આવી છે જેને કારણે ઓમ સર્કલની આસપાસ AMC દ્વારા ખોદકામ કરીને પાઇપલાઇન નાંખવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ગટરની લાઈનમાં ભંગાણ થતા ગંદા પાણી જાહેર રોડ પર આવી જાય છે.. જેનાથી આસપાસની સોસાયટીમાં તીવ્ર દુર્ગંધ તેમજ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.

આ પણ વાંચો : IMD Heavy Rain Alert: 1 ઓગસ્ટ સુધીમાં 15 રાજ્યમાં થશે ભારે વરસાદ, હવામાન વિભાગે આપ્યુ એલર્ટ

આ પણ વાંચો : Lemonduck: તમારા કમ્પ્યુટરમાં તો નથી છુપાયો ને ખતરનાક ‘લેમનડક’ માલવેર ? જાણો કેવી રીતે બચવુ

 

Published On - 1:02 pm, Thu, 29 July 21

Next Video