અમદાવાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય, હવે જાહેર સ્થળો પરથી નોન વેજ અને ઈંડાની લારીઓ દૂર કરાશે

|

Nov 15, 2021 | 8:15 PM

અમદાવાદમાં નોનવેજની ગેરકાયદે ધમધમતી લારીઓના દબાણો દૂર કરવામાં આવશે. જેમાં આવતીકાલથી કોર્પોરેશનની ટીમો લારી ઉઠાવવાની કામગીરી કરશે.

ગુજરાતમાં(Gujarat) અન્ય મહાનગરપાલિકાઓની(Corpoation)  જેમ હવે અમદાવાદમાં(Ahmedabad) પણ જાહેર સ્થળો પરથી નોન વેજ(Non Veg)  અને ઈંડાની લારી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જાહેર બાગ બગીચા, સ્ટેડિયમ, હોસ્પિટલ અને ધાર્મિક સ્થળોની આસપાસ ગેરકાયદે ઉભી રહેતી નોન વેજ અને ઈંડાની લારીઓને દૂર કરવામાં આવશે.

અમદાવાદમાં નોનવેજની ગેરકાયદે ધમધમતી લારીઓના દબાણો દૂર કરવામાં આવશે. જેમાં આવતીકાલથી કોર્પોરેશનની ટીમો લારી ઉઠાવવાની કામગીરી કરશે. આ અંગે ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં જાહેરમાં ઇંડા અને નોનવેજની લારીઓ દૂર કરવામાં આવશે. તેમજ જાહેરમાં લાયસન્સ વગર વેચાણ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત હેલ્થ વિભાગ આગામી દિવસોમાં કરશે લાયસન્સ વગરની દુકાનો અને લારીઓમાં ચેકીંગ કરશે.

ઉલ્લેખનીય  છે કે,  ગુજરાતમાં(Gujarat) મહાનગરપાલિકાઓ (Corporation) દ્વારા કરવામાં આવી રહેલા ગેરકાયદે નોન-વેજ અને ઈંડાની લારીઓ દૂર કરવાના આદેશથી સમગ્ર રાજયના વિવાદ ઉભો થયો છે. રાજકોટ નગર પાલિકાએ સૌથી પહેલા આ આદેશ કર્યો હતો તેની બાદ વડોદરા, સુરત અને અમદાવાદ, ભાવનગર માં પણ આનો અમલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

જો કે દેખાય નહિ તે રીતે અને લોકોની ધાર્મિક લાગણી ના દુભાય તે રીતે વેચાણ કરી શકાય છે. જો કે મનપાના આ આદેશનો આ લારીવાળા વિરોધ કરી રહ્યા છે.

જેમાં રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, વડોદરામાં  ફૂટપાથ કે જાહેરમાં નોન વેજની લારીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ ફુટપાથ પર ઘંઘો કરનારાઓને ભૂમાફિયાઓ સાથે સરખાવ્યા તો લારી-ગલ્લા અને પાથરણાવાળાઓએ તેનો સખત વિરોધ કર્યો.

આ પણ  વાંચો : અમદાવાદમાં રિક્ષાચાલકોની 21 નવેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકી

આ પણ  વાંચો : મુખ્યમંત્રીનો 3 મહાનગરોના વિકાસ કામો માટે મહત્વપૂર્ણ નિર્ણય, રાજકોટ-સુરત-ગાંધીનગર માટે કરોડો રૂપિયાની ફાળવણી

Published On - 6:07 pm, Mon, 15 November 21

Next Video