Ahmedabad: કન્ઝ્યુમર કોર્ટનો મહત્વનો ચુકાદો, ધૂમ્રપાન કર્યા વગર પણ થઈ શકે કેન્સર, વીમા કંપનીએ કરવું પડશે ચૂકવણું

|

Oct 03, 2021 | 9:21 AM

વીમા કંપનીએ વીમાધારક આલોક કુમાર બેનર્જીના રૂ. 93,297 ના દાવાને ફગાવી દીધો હતો કારણ કે તે ધૂમ્રપાન કરતો હતો.

Ahmedabad: કન્ઝ્યુમર કોર્ટનો મહત્વનો ચુકાદો, ધૂમ્રપાન કર્યા વગર પણ થઈ શકે કેન્સર, વીમા કંપનીએ કરવું પડશે ચૂકવણું
પ્રતિકાત્મક ફોટો

Follow us on

ગુજરાત (Gujarat) ની એક વીમા કંપની (Insurance Company) એ એક વ્યક્તિના દાવાને ફગાવી દીધો છે કે તે સિગારેટ (Cigarettes) પીવે છે અને તેના કારણે તેને કેન્સર (Cancer) છે. કેન્સર પીડિતની પત્નીએ ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્રના સહયોગથી અમદાવાદ ગ્રાહક વિવાદ નિવારણ પંચમાં તેને પડકાર્યો હતો. કોર્ટે કેન્સર પીડિતની તરફેણમાં ચુકાદો પણ આપ્યો હતો. આ સાથે કોર્ટે સુનાવણી દરમિયાન ઘણી રસપ્રદ ટિપ્પણીઓ પણ કરી હતી.

અમદાવાદની એક ગ્રાહક કોર્ટે ફેફસાના કેન્સરની સારવાર પાછળ ખર્ચવામાં આવેલી રકમ ભરપાઈ કરવા વીમા કંપનીને આદેશ આપ્યો છે. વીમા કંપનીએ દાવો ચૂકવવાનો ઇનકાર કર્યો હતો કે દર્દીને ધૂમ્રપાનનું વ્યસન હતું, જેના કારણે તેને આ રોગ થયો હતો.

સિગારેટથી કેન્સરના કોઈ પુરાવા નથી
કોર્ટે કહ્યું કે સારવારના કાગળો પર ‘વ્યસન – ધૂમ્રપાન’ ના ઉલ્લેખ સિવાય, સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી કે દર્દીને ધૂમ્રપાનના વ્યસનને કારણે ફેફસાનું કેન્સર થયું. કોર્ટે કહ્યું કે આ વીમા કંપનીના દાવાને નકારવા માટેનું કારણ ન હોઈ શકે અને એમ પણ કહ્યું કે જે લોકો ધૂમ્રપાન કરતા નથી તેમને પણ ફેફસાનું કેન્સર થાય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પત્નીએ કાનૂની લડાઈ લડી
વીમા કંપનીએ વીમાધારક આલોક કુમાર બેનર્જીના રૂ. 93,297 ના દાવાને ફગાવી દીધો હતો કારણ કે તે ધૂમ્રપાન કરતો હતો. ‘ફેફસાના એડેનોકાર્સીનોમા’ અથવા ફેફસાના કેન્સરની સારવાર પાછળ ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર પાછળ આટલા રૂપિયા ખર્ચ્યા હતા.

સારવારના કાગળોમાં ઉલ્લેખ હતો કે વિમાધારક ધૂમ્રપાનનો વ્યસની હતો, જેના કારણે તેને વીમાને પાત્ર નથી. બેનર્જીની પત્ની સ્મિતાએ ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર સાથે મળીને તેને અમદાવાદ ગ્રાહક વિવાદ નિવારણ પંચમાં પડકાર્યો હતો.

7 ટકા વાર્ષિક વ્યાજ સાથે આપવા પડશે રૂપિયા
કમિશનના ચેરમેન કે.એસ. પટેલ અને સભ્ય કે.પી. મહેતાએ જણાવ્યું હતું કે આ મામલો ઓગસ્ટ 2016 નો છે. તેથી, હોસ્પિટલનો ખર્ચ અરજદારને વાર્ષિક સાત ટકાના વ્યાજ દર સાથે ચૂકવવો જોઈએ. તેમને માનસિક તકલીફ માટે ત્રણ હજાર રૂપિયા અને કાયદાકીય ખર્ચ માટે બે હજાર રૂપિયા પણ આપવા જોઈએ. કંપનીને આ માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Digital Life Certificate: હવે નિવૃત્ત કર્મચારીઓ ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકશે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

આ પણ વાંચો: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સંગ્રામ, 122 બેઠકની ચૂંટણી અને 96 બેઠકની પેટાચૂંટણી

Next Article