Ahmedabad : મહાઠગ કિરણ પટેલને ફરીથી શ્રીનગર જેલમાં મોકલાયો, અલગ-અલગ ત્રણ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કરી હતી ધરપકડ

મહાઠગ કિરણ પટેલની (Kiran Patel) અલગ અલગ કેસમાં પૂછપરછ પૂર્ણ થતાં હવે તેને શ્રીનગર મોકલવામાં આવ્યો છે. અલગ અલગ ત્રણ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કિરણ પટેલની ધરપકડ કરી હતી. અગાઉ કોર્ટે મહાઠગ કિરણ પટેલના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Ahmedabad : મહાઠગ કિરણ પટેલને ફરીથી શ્રીનગર જેલમાં મોકલાયો, અલગ-અલગ ત્રણ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કરી હતી ધરપકડ
| Edited By: | Updated on: Apr 25, 2023 | 3:06 PM

મહાઠગ કિરણ પટેલની અલગ અલગ કેસમાં પૂછપરછ પૂર્ણ થતાં હવે તેને શ્રીનગર મોકલવામાં આવ્યો છે. અલગ અલગ ત્રણ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કિરણ પટેલની ધરપકડ કરી હતી. અગાઉ કોર્ટે મહાઠગ કિરણ પટેલના  રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે પછી પુછપરછ પૂર્ણ થતા મહાઠગ કિરણ પટેલને નારોલ જમીન છેતરપિંડીના કેસમાં મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો. મેટ્રો કોર્ટે કિરણ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો.

આ પણ વાંચો-Dahod: ટેન્ડર કોસ્ટ કરતા ઊંચી કિંમતનું ટેન્ડર મંજૂર કરાતા સર્જાયો વિવાદ, જુઓ Video

મહાઠગ કિરણ પટેલ સામે અત્યાર સુધીમાં 7 જેટલી ઠગાઇની ફરિયાદ નોંધાઇ છે. જમીન વેચાણમાં ઠગાઈ મામલે ક્રાઈમ બ્રાંચે ફરિયાદ નોંધી છે. નારોલમાં જમીન વેચી દસ્તાવેજ ન બનાવી 80 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ દાખલ થઇ છે. 2017માં જમીન વેચાણ કર્યા બાદ દસ્તાવેજ ન કર્યાનું સામે આવ્યું છે.

કાશ્મીરમાં પકડાયેલા કિરણ પટેલે પીએમઓ ઓફિસર તરીકે કથિત રીતે 2017માં જમીનના સોદામાં તેની સાથે 80 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જે બાબતે તેને કોર્ટમાં રજૂ કરતાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ રિમાન્ડ પૂર્ણ થતાં આજે ફરી તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમા મેટ્રો કોર્ટે તેને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે.

80 લાખ રૂપિયાની કરી હતી છેતરપિંડી

અમદાવાદ દક્ષિણ બોપલના એક ડેવલોપરે શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે કાશ્મીરમાં પકડાયેલા કિરણ પટેલે પીએમઓ ઓફિસર તરીકે કથિત રીતે 2017માં જમીનના સોદામાં તેની સાથે 80 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ફરિયાદ કરનાર ઉપેન્દ્રસિંહ ચાવડા, 36 વર્ષીય શાશ્વત એપાર્ટમેન્ટના રહેવાસીએ તેની એફઆઈઆરમાં જણાવ્યું હતું કે તે 2016માં પટેલને મળ્યો હતો જ્યારે તે સલીમ ખોજા નામના મિત્રને મળવા સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગયો હતો.

2017માં કિરણ પટેલે ઉપેન્દ્ર ચાવડા પાસેથી કેટલાક પૈસા માગ્યા હતા

સલીમ ખોજાને મુક્ત કરવામાં આવ્યો, ત્યારે તેણે ઉપેન્દ્ર ચાવડાને કિરણ પટેલ સાથે ફરીથી પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ પટેલે ચાવડાને જણાવ્યું હતું કે તે તમાકુની ખેતીનો વ્યવસાય કરે છે. માર્ચ 2017માં કિરણ પટેલે ઉપેન્દ્ર ચાવડા પાસેથી કેટલાક પૈસા માગ્યા હતા, જેની તેમણે ના પાડી દીધી હતી.

બાદમાં, કિરણ પટેલ દક્ષિણ બોપલમાં ચાવડાના ઘરે ગયા અને તેમને જણાવ્યું કે, તેમની પાસે નારોલમાં 1,867 ચોરસ મીટરનો જમીનનો પ્લોટ છે. કિરણ પટેલ ચાવડાને જમીન બતાવવા માટે નારોલ નજીક એક જગ્યાએ લઈ ગયા હતા. ઉપેન્દ્ર ચાવડાએ પ્લોટ વિશે પૂછપરછ કર્યા પછી, તેમને ખાતરી થઈ કે તે કિરણ પટેલની માલિકીનો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us