Gujarat : રાજ્યમાં સતત ઘટી રહ્યો છે કોરોનાનો કેર, 24 કલાકમાં 10 નવા કેસ, મૃત્યુઆંક શૂન્ય

|

Sep 03, 2021 | 9:37 AM

રાજ્યમાં સતત કોરોનાનો કેર ઘટી રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 10 કેસ નોંધાયા છે. સૌથી વધુ વડોદરામાં 4 કેસ નોંધાયા, તો અમદાવાદમાં 1, સુરતમાં 3 કેસ નોંધાયા.

Gujarat : રાજ્યમાં સતત કોરોનાનો કેર ઘટી રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 10 કેસ નોંધાયા છે. સૌથી વધુ વડોદરામાં 4 કેસ નોંધાયા, તો અમદાવાદમાં 1, સુરતમાં 3 કેસ નોંધાયો. જ્યારે 24 કલાકમાં રાજ્યના 25 જિલ્લા અને 4 મહાનગરોમાં એક પણ કેસ નથી નોંધાયો. તો સતત એક સપ્તાહથી મૃત્યુઆંક શૂન્ય નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો. રાજ્યમાં હવે માત્ર 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 151 થઇ છે.

રાજયમાં રસીકરણની સ્થિતિ

રસીકરણની વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં રાજ્યમાં 7.23 લાખ લોકોનું રસીકરણ કરાયું. રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 82 હજાર 132 લોકોને રસી અપાઇ. તો અમદાવાદમાં 65 હજાર 402 લોકોનું રસીકરણ કરાયું. જ્યારે બનાસકાંઠામાં 43 હજાર, દાહોદમાં 44 હજાર લોકોને રસીના ડોઝ અપાયા. જ્યારે રાજકોટમાં 36 હજાર 342 અને વડોદરામાં 29 હજાર 854 લોકોને રસી અપાઇ. આમ રાજ્યમાં અત્યાર સુધી કુલ 4 કરોડ 77 લાખ 42 હજાર લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે.

કેરળમાં કોરોનાનો હાહાકાર, દેશના 70 ટકા કેસો માત્ર કેરળમાં નોંધાયા

કેરળમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. કેરળમાં દરરોજ કોરોનાના 30 હજારથી વધુ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના 32 હજાર 97 કેસ નોંધાયા છે. જ્યારે 188 લોકોનાં મોત થયા છે. કેરળમાં નોંધાયેલા કેસ દેશના કુલ કેસના 70 ટકાથી પણ વધુ છે. કારણ કે દેશમાં કોરોનાના 45 હજાર 624 કેસ નોંધાયા છે. દેશમાં એક જ દિવસમાં 355 લોકો મૃત્યું પામ્યા છે. દેશમાં અત્યાર સુધી 4 લાખ 39 હજાર 916 લોકોનાં મોત થયા છે. દેશમાં હજુ પણ 3.93 લાખથી વધુ સક્રિય કેસ છે.

Next Video