Ahmedabad :આજે ભગવાન જગન્નાથ નિજ મંદિરના ગર્ભગૃહમાં કરશે પ્રવેશ, જાણો શા માટે ભગવાનને રાત્રે મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી

|

Jul 13, 2021 | 10:42 AM

એક લોકવાયકા મુજબ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નિકળે છે. ત્યારે પત્ની લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને રાજમહેલના પ્રવેશ દ્વાર બંધ કરે છે.

દર વર્ષ ભગવાન જગન્નાથની અષાઢી બીજના દિવસે રથયાત્રા (Rathyatra) નિકળે છે, આ વર્ષ પણ કોરોના નિયમોને ધ્યાનમાં રાખીને ભગવાનની રથયાત્રા માટે શરતી મંજુરી મળી હતી.

આ વર્ષની રથયાત્રા ઐતહાસિક રહી હતી, કારણ કે, પહેલી વાર ભક્તો વગર ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી અને માત્ર 3 કલાક અને 40 મિનિટમાં ભગવાન નગરચર્યા કરીને નિજ મંદિર પરત ફર્યા હતા.

પરંપરાગત રીતે (Traditional) રથયાત્રાના બીજા દિવસે બગવાન જગન્નાથ નિજ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરે છે. ત્યારે આજે ભગવાન જગન્નાથ ફરીથી ગર્ભગૃહમાં બિરાજમાન થશે. ગર્ભગૃહમાં પ્રવેશ કર્યા પહેલા ભગવાનની નજર ઉતારવાની વિધિ કરવામાં આવશે અને ગર્ભગૃહમાં પ્રવેશ કર્યા બાદ ભગવાનની આરતી કરવામાં આવશે.

શા માટે ભગવાનને રથયાત્રાની રાત્રિ દરમિયાન રથમાં જ રાખવામાં આવે છે ?

પરંપરાગત રીતે, ભગવાન જગન્નાથને રથયાત્રાના બીજા દિવસે જ ભગવાનને નિજ મંદિરના (Temple) ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવે છે. એક લોકવાયકા મુજબ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા (Subhadra)અને ભાઈ બલરામ (Balram) સાથે નગરચર્યાએ નિકળે છે. ત્યારે પત્ની લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને રાજમહેલના પ્રવેશ દ્વાર બંધ કરે છે.

જેથી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભગવાનને રાજમહેલ બહાર જ રાતવાસો કરવો પડે છે. ત્યારે આ પ્રકારની પરંપરાનો આજે પણ અમલ કરીને ભગવાનને બીજા દિવસે નિજ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવે છે.

 

આ પણ વાંચો : Ahmedabad : બીજા રાજ્યોની તુલનામાં ગુજરાતમાં કોરોનાના કેસમાં થયેલો ઘટાડો સરકારની ‘સાચી દિશા’ સૂચવે છે : મુખ્યમંત્રી

આ પણ વાંચો : Dang : ગીરાધોધની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, કોરોનાની ચિંતા વિના જ પ્રવાસીઓ ઉમટ્યા

Next Video