ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે BJPએ અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરી હતી. જેની બાદ ટિકિટ વહેંચણીને લઈને સ્થાનિક કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. તેમજ દાવેદારી કરનારા કાર્યકરોને ટિકિટ ન મળતા તેવો સમર્થકો સાથે અમદાવાદમાં BJPના ખાનપુર કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જેમાં ચાંદખેડા વોર્ડમાં જીગીશા પ્રજાપતિના બદલે કલ્પનાબેનને ઉમેદવાર બનાવતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ આ કાર્યકરો શહેર કાર્યાલય ખાતે પ્રમુખ જગદીશ પટેલ અને BJP પ્રદેશ ઉપ પ્રમુખ આઈ.કે. જાડેજાને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
આ પણ વાંચો: VADODARA: MS યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ ઘટાડવાની માંગ સાથે ABVPનું વિરોધ પ્રદર્શન