અમદાવાદમાં કોંગ્રેસના નિરીક્ષક પર કાર્યકર્તાઓનો હુમલો, નિરીક્ષકે ફરિયાદ કરવાનું ટાળ્યું

|

Feb 11, 2021 | 12:07 AM

અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં આવેલ પંચશીલ હોસ્પિટલ બહાર જ કોંગ્રેસના નિરીક્ષક પ્રફુલ્લ શાહ પર જીવલેણ હુમલો થયો છે.

અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં આવેલ પંચશીલ હોસ્પિટલ બહાર જ કોંગ્રેસના નિરીક્ષક પ્રફુલ્લ શાહ પર જીવલેણ હુમલો થયો છે. જેમાં હુમલો કરનારા કોંગ્રેસના જ કાર્યકર્તાઓ હતા. તેમણે નિરીક્ષક પ્રફુલ્લ શાહને લાકડી વડે માર મારી કહ્યું કે ટિકિટ કેમ ના આપી. આમ કહીને કોંગ્રેસના ત્રણ કાર્યકરોએ ભેગા મળી ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટના બાદ પોલીસ દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત પ્રફુલ શાહની સારવાર કરાવી હતી.

 

 

ત્યારબાદ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ ના કરવાનું કહેતા પોલીસ નિવેદન લીધું હતું. જેમાં ઈજાગ્રસ્ત Congress  નિરીક્ષક પ્રફુલ્લ શાહને પૂછતાં તેમણે અકસ્માત કહી ઘટના અંગે બોલવાનું ટાળી દીધું હતું. ઉલ્લેખનીય છે કે સાબરમતી, રાણીપ, ચાંદખેડા અને ચાંદલોડિયા કોંગ્રેસ વોર્ડના પ્રફુલ શાહ નિરીક્ષક છે.

 

આ પણ વાંચો: SURENDRANAGAR: વોર્ડ નંબર-3માં પાણીની સમસ્યા બાબતે મહિલાઓએ કર્યો વિરોધ

Next Video