આ વર્ષે પડેલા ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના અનેક નદી, નાળા, જળાશયો છલકાઈ ઉઠ્યા છે. ગીરના જંગલની વચ્ચોવચ આવેલ કમલેશ્વર ડેમ કે જેને હિરણ-1ના નામે ઓળખવામાં આવે છે તે ડેમ પૂરેપુરો છલકાઈ ઉઠ્યો છે. નવાબીકાળમાં બંધાયેલા કમલેશ્વર ડેમની રચના પણ પૌરાણીક છે. ડેમની બે બાજુ ગીરના પહાડ અને એક બાજુ પાળો બાંધવામાં આવ્યો છે. ગીરના જંગલમાં વસતા વન્યજીવને કમલેશ્વર ડેમમાંથી પીવાનુ પાણી પુરુ પાડવામાં આવી રહ્યુ છે. પ્રકૃતિના ખોળે જંગલની વચ્ચે આવેલો આ ડેમ વન્ય પ્રાણીઓ જેવા કે એશિયાટીક સિંહો, સાસણના અલભ્ય ગીધ તેમજ હજારો જાતના પક્ષીઓ અને સરીસૃપો અને ગિરની વનરાઇ માટે જીવાદોરી ગણાય છે. ત્યારે આ વર્ષે કમલેશ્વર ડેમ છલકાઈ જતા વન્યજીવોને પિવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે.
આ પણ વાંચોઃભરૂચમાં કેમ ફેકાય છે કચરાના ઢગલામા ફુલ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 9:05 am, Tue, 25 August 20