Gandhinagar: સરકારી બાળ સંભાળ ગૃહના 7 બાળકો ગૂમ, શાળાએ ગયા બાદ બાળકોનો કોઈ અતોપતો નહીં

|

Oct 27, 2021 | 10:24 AM

Gandhinagar: પાટનગરથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરના સરકારી બાળ સંભાળ ગૃહના 7 બાળકો ગૂમ થયાની માહિતી મળી છે. 7 બાળકો શાળાએ ગયા બાદ થયા ગૂમ થઇ ગયા છે.

Gandhinagar: પાટનગરથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરના સરકારી બાળ સંભાળ ગૃહના 7 બાળકો ગૂમ થયાની માહિતી મળી છે. 7 બાળકો શાળાએ ગયા બાદ થયા ગૂમ થઇ ગયા છે. બાળકો ભાગી ગયા છે કે તેમનું અપહરણ થયું છે કોઈ જાણકારી હજુ મળી નથી.

વધુ ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા દોઢ મહિનામાં 13 બાળકો આ રીતે ગાયબ થયા છે. સરકારી બાળ સંભાળ ગૃહના બાળકો આ રીતે ગાયબ થઇ જતા ઘણા સવાલો ઉઠ્યા છે. બાળકોનું અપહરણ થયું કે ભાગી ગયા તેની સ્પષ્ટતા હજુ સુધી થઇ નથી. સમગ્ર મામલે બાળ સંભાળ ગૃહના અધિક્ષકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

તમને જણાવી દઈએ કે સેક્ટર-17 ખાતે બાળ સંરક્ષણ ગૃહ આવેલ છે. જેમાંથી વધુ 7 બાળકો ગાયબ થયા છે. અગાઉ પણ આ રીતે બાળકો ગાયબ થયેલા છે. ત્યારે આ વખતે શાળાએ ગયા બાદ સાતેય બાળકો પરત ન આવ્યા. જેને લઈને સેક્ટર-17 બાળ સંરક્ષણ ગૃહ દ્વારા સેક્ટર 21 ખાતે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધવામાં આવશે એવી માહિતી છે. ત્યારે જાણવું જરૂરી છે કે અઠવાડિયા પહેલા જ ગાંધીનગરના સેકટર-17 માં આવેલા બાળ સુરક્ષા ગૃહમાંથી ત્રણ બાળકો ભાગી ગયા હતા. રક્ષણની જરૂરિયાત વાળા 6 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકો અહીંયા આશ્રય મેળવે છે. પરંતુ અહીંથી બાળકો ગૂમ થતા ચિંતા વધી છે. આંકડા પ્રમાણે 10 દિવસમાં સેક્ટર-17 ના બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા કુલ 10 બાળકો ભાગી ગયા છે.

 

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને 10.30 કલાકે યોજાશે કેબિનેટ બેઠક, ગ્રેડ પે મામલે થશે ચર્ચા

આ પણ વાંચો: Banaskantha: પાણીની સમસ્યા દૂર, દાંતીવાડા ડેમનું પાણી સીપુ વોટર પ્લાન્ટમાં પહોંચતા લોકોમાં આનંદ

Published On - 10:13 am, Wed, 27 October 21

Next Video