2010માં સૈફ અલી ખાનને દેશના ચોથા ક્રમના સૌથી વધુ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે તેઓ તેને ભારત સરકારને પરત કરવા માંગતા હતા. આ વાત સૈફે અરબાઝ ખાનના ચેટ શો ‘પિંચ બાય અરબાઝ ખાન’ માં આ ખુલાસો કર્યો હતો. શો દરમિયાન સૈફ એક ટ્વીટર યુઝરની ટિપ્પણીનો જવાબ આપી રહ્યા હતા, જેમને તેમના પર પદ્મ શ્રી પુરસ્કાર ખરીદવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: શું ખરેખર કોંગ્રેસે નીરવ મોદી પાસેથી 98 કરોડ રુપિયાનો ચેક લીધો છે?
સૈફને ટેગ કરીને એક ટ્વિટર યુઝરે લખ્યું હતું,” આ ઠગ, જેમણે પદ્મશ્રી એવોર્ડ ખરીદ્યો, પોતાના પુત્રનું નામ તૈમૂર રાખ્યુ અને રેસ્ટોરન્ટમાં લોકોને માર્યા. તેને ‘સેક્રેડ ગેમ્સ’માં કેવીરીતે ભૂમિકા મળી. તે અભિનય પણ મુશ્કેલીથી કરી શકે છે.”
સૈફે પદ્મશ્રી વિશે કહ્યું ” આ ઈંડસ્ટ્રીમાં ઘણા વરિષ્ઠ અને પ્રતિભાશાળી લોકો છે, જેઓને આ સન્માન મળ્યું નથી. તેથી મેં વિચાર્યું કે મારે આ પુરસ્કાર સ્વીકાર કરવો જોઈએ નહીં. હું એ પરત કરવા માગતો હતો. સ્વીકાર નહોતો કરવા માગતો. પછી મારા પિતાએ કહ્યું – મને નથી લાગતું કે તું ભારત સરકારને ના કહેવાની સ્થિતિમાં છો.”
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]