સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર થલાપતિ વિજય પોતાની શાનદાર ફિલ્મો માટે જાણીતો છે. થલાપતિ વિજય ફિલ્મો સિવાય રાજકારણમાં પણ પોતાની તાકાત દેખાડવા માટે તૈયાર છે. આ વચ્ચે તેમણે પોતાની પહેલી રેલીમાં રાજકારણ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવા પર ખુલાસો કર્યો છે. થલાપતિએ પોતાના ભાષણ દરમિયાન એ પણ કહ્યું કે, રાજકારણમાં એટલા માટે આવ્યો કે, તે લોકો માટે કાંઈ કરી શકે, અભિનેતાએ હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી છે. તેમણે પોતાનું કરિયર વિશે વાત કરતા ખુલાસો પણ કર્યો છે. વિજય ફિલ્મોમાંથી રાજકારણ તરફ વળ્યો છે.
તમિલ સુપરસ્ટારે આગળ કહ્યું કે, મે મારા કરિયર જ્યારે ઉંચાઈ પર હતુ ત્યારે અનેક ફિલ્મો છોડી દીધી છે. મે સેલેરી પણ છોડી દીધી છે. હું તમારા બધા પર ભરોસો કરી વિજય બનીને આવ્યો છું. વિજય ભારતમાં ફિલ્મો માટે સૌથી વધારે ચાર્જ લેનાર અભિનેતા છે. તમિલગા વેત્રી કઝગમ (TVK) પાર્ટીના વડા થલાાપતિ વિજયે રવિવારે પાર્ટીના પ્રથમ સંમેલનને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું કે, તમિલનાડુમાં બદલાવની જરુરત છે.
તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી રાજકારણમાં એન્ટ્રી કર્યા બાદ વિજયે અનેક ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું સિનેમામાં કરિયરની શરુઆતમાં મને કહેવામાં આવ્યું હતુ કે, મારો ચેહરો સારો નથી. મારી પર્સનાલિટી સારી નથી, મારી સ્ટાઈલ સારી નથી.એવું પણ કહેવામાં આવ્યું હતુ કે, મારા વાળ અને ચાલવાની સ્ટાઈલ સારી નથી. તેમ છતાં મે હાર માની નહિ અને મારી અલગ ઓળખ બનાવી. થલાપતિ વિજય છેલ્લી વખત વેંકટ પ્રભુની ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમમાં જોવા મળ્યો હતો. તે ટુંક સમયમાં થલાપતિ 69માં જોવા મળશે.
ઈટાઈમ્સ સહિત અનેક રિપોર્ટ અનુસાર અભિનેતાએ પોતાની આગામી ફિલ્મ થલાપતિ 69 માટે 275 કરોડ રુપિયા ચાર્જ લીધો છે.હવે જોવાનું રહેશે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ કમાયા બાદ અભિનેતા રાજકારણમાં કેવી નામના કમાય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિજય થલાપતિના લાખો ચાહકો છે. અભિનેતા કહી ચૂક્યો છે કે, પોતાનું નામ બનાવવા માટે ખુબ મોટી મહેનત કરી છે.
Published On - 3:17 pm, Mon, 28 October 24