Television News: શું Koffee With Karan 7 પર લાગશે તાળું? સોશિયલ મીડિયા પર ઉઠી બહિષ્કારની માંગ

|

Apr 27, 2022 | 2:18 PM

કરણ જોહરના (Karan Johar) શો 'કોફી વિથ કરણ'ની (Koffee With Karan) છઠ્ઠી સિઝન વર્ષ 2019માં આવી હતી. પરંતુ કેટલાક લોકો 'કોફી વિથ કરણ'ની નવી સીઝનને લઈને બિલકુલ ઉત્સાહિત નથી, તેમજ શોનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે.

Television News: શું Koffee With Karan 7 પર લાગશે તાળું? સોશિયલ મીડિયા પર ઉઠી બહિષ્કારની માંગ
The Koffee With Karan 7 (Image-koimoi)

Follow us on

બોલિવૂડ(Bollywood) ફિલ્મ નિર્માતા કરણ જોહરનો (Karan Johar) શો ‘કોફી વિથ કરણ’ (Koffee With Karan) સૌથી લોકપ્રિય ચેટ શોમાંથી એક છે. ફિલ્મ સ્ટાર્સથી લઈને ઘણી મોટી હસ્તીઓએ તેમની ગપસપથી શોને આકર્ષિત કર્યો છે. આ સાથે આ શો સેલિબ્રિટીઓના અંગત જીવનની પળોને લઈને વિવાદને પણ પ્રોત્સાહન આપતો જોવા મળે છે. છેલ્લી સીઝન દરમિયાન આ શો ટ્રોલ્સના નિશાના હેઠળ આવ્યો હતો. જેના કારણે તેને થોડા સમય માટે ઑફ-એર કરવામાં આવ્યો હતો. હવે સમાચાર આવી રહ્યા છે કે કરણ શોની નવી સીઝન સાથે પાછો ફરી રહ્યો છે.

કરણ જોહરના આ શોની છઠ્ઠી સિઝન વર્ષ 2019માં આવી હતી. ત્યારથી કેટલાક ચાહકો ચેટ શોની નવી સીઝનની રાહ જોઈ રહ્યા છે, પરંતુ કેટલાક લોકો ‘કોફી વિથ કરણ’ની નવી સીઝનને લઈને બિલકુલ ઉત્સાહિત નથી, તેમજ શોનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે આ ચેટ શોનો બહિષ્કાર કરવાની માંગ ઉઠાવી હતી.

લોકોએ કહ્યું આવું

કરણ જોહરના આ શોને લઈને ટ્વિટર પર ‘બોયકોટ કોફી વિથ કરણ’નો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. એક ટ્વિટર યુઝરે લખ્યું, “અમે આ શોનો બહિષ્કાર કરીશું”. તો ત્યાં અન્ય એક યુઝરે લખ્યું, “આ શોમાં જે આવશે કોઈ મોટું નામ નહી હોય. તે ફ્લોપ સીઝન છે.” ત્રીજા યુઝરે લખ્યું, “એ જ નેપોકિડ્સ આવશે જેઓ બહારના પક્ષકારોની મજાક ઉડાવે છે. આ વખતે પણ આ શોમાં કંઈ નવું જોવા મળશે નહીં. અન્ય એક યુઝરે લખ્યું કે, હવે કોની જીંદગી કરણ જોહર આ સમયે બરબાદ કરવા જઈ રહ્યો છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ સ્ટાર્સ બની શકે છે કોફી ટેબલનો એક ભાગ

મીડિયા અહેવાલ મુજબ શો ‘કોફી વિથ કરણ’ની નવી સીઝન સ્ટાર-સ્ટડેડ સિઝન હશે. જેમાં અક્ષય કુમાર, વરુણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર, નીતુ સિંહ, સિદ્ધાર્થ મલ્હોત્રા, રશ્મિકા મંદાન્ના, સિદ્ધાંત ચતુર્વેદી જેવી સેલિબ્રિટીઓ સહિત લગભગ સમગ્ર કલાકારો આ કોફી ટેબલનો એક ભાગ હોવાની અપેક્ષા છે. નવપરિણીત યુગલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, કેટરિના કૈફ અને વિકી કૌશલ પણ કોફી વિથ કરણ સીઝન 7 પર તેમની પ્રથમ ઓન-સ્ક્રીન હાજરી આપી શકે છે.

મે મહિનાથી શરૂ થશે આ શોનું શૂટિંગ

અહેવાલો અનુસાર કરણ તેની આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની’ની લવસ્ટોરીના મોટા ભાગનું શૂટિંગ મે મહિનામાં પૂર્ણ કરશે. આ શેડ્યૂલ સમાપ્ત કર્યા પછી કરણ તેના ચેટ શો કોફી વિથ કરણની સીઝન 7 પર કામ શરૂ કરશે. આ શોનું પ્રી-પ્રોડક્શન પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ટીમ મેના મધ્યથી શૂટિંગ શરૂ કરી શકે છે. અહેવાલ મુજબ આ શો જૂનમાં સ્ટાર નેટવર્ક પર પ્રસારિત થશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Jamnnagar: પ્રેમ પ્રકરણમાં 10 લોકોએ કર્યો જીવલેણ હુમલો, પ્રેમીના કાકાની નિર્મમ હત્યાથી ભારે ચકચાર, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો:  બનાસકાંઠાઃ મૂકબધીર બાળકીની બળાત્કાર સાથે હત્યાનો કેસ, આરોપીને ફાંસીની સજા

Next Article