IND vs ENG: ટીમ ઈન્ડિયાની હાર પર અલી ગોનીથી લઈને રાહુલ વૈદ્ય સુધી આ સ્ટાર્સે આપી પ્રતિક્રિયા

ટી20 વર્લ્ડ કપ 2022ની (T20 World Cup 2022) સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને કારમી હાર આપી હતી. જે બાદ હવે દેશભરના લોકો સોશિયલ મીડિયા પર પોતાની નિરાશા વ્યક્ત કરી રહ્યા છે, જેમાં ઘણા ટીવી સ્ટાર્સે પણ પ્રતિક્રિયા આપી છે.

IND vs ENG: ટીમ ઈન્ડિયાની હાર પર અલી ગોનીથી લઈને રાહુલ વૈદ્ય સુધી આ સ્ટાર્સે આપી પ્રતિક્રિયા
Aly-Goni
| Edited By: | Updated on: Nov 10, 2022 | 9:45 PM

ટી20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડ સામેની આ મેચમાં ભારતની હાર થઈ હતી. આ સાથે ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું સપનું પણ અધૂરું રહી ગયું. હવે દેશભરમાં આ કારમી હારના સમયે બધા નિરાશ છે. સોશિયલ મીડિયા પર ચારેબાજુ ખળભળાટ મચી ગયો છે. ફેન્સથી લઈને ટીવી સેલિબ્રિટીઝની પ્રતિક્રિયાઓ પણ સતત સામે આવી રહી છે. ચાલો જાણીએ એ કયા સ્ટાર્સ છે જેમણે આ હાર પર નિરાશા વ્યક્ત કરી છે.

રાહુલ વૈદ્યની પોસ્ટ

રાહુલ વૈદ્યએ ટીમ ઈન્ડિયાની હાર પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમનો મોટો પ્રશંસક હોવાના કારણે મને એક ફરિયાદ છે.. ભારત હંમેશા આઈસીસી વર્લ્ડ ટૂર્નામેન્ટ જીતવામાં નિષ્ફળ જાય છે! અને માનો કે ના માનો, આઈપીએલ આનું એક મોટું કારણ છે.

અલી ગોનીની પોસ્ટ

રાહુલ વૈદ્ય સિવાય ટીવી એક્ટર અલી ગોનીએ પ્રતિક્રિયા આપતા લખ્યું કે, મને સમજાતું નથી કે આપણી બોલિંગ એટલી ખરાબ છે કે તેમની બેટિંગ એટલી સારી છે.

નકુલ મહેતાની પોસ્ટ

ટીવી એક્ટર નકુલ મહેતાએ પ્રતિક્રિયા આપતા લખ્યું કે, આ એક મેચ છે. નકુલ મહેતા બડે અચ્છે લગતે હૈ સિરીયલ સેટ પર મેચ જોતો જોવા મળ્યો હતો. તેની સાથે દિશા પરમાર અને અન્ય ટીમ મેમ્બર અને કેમેરામેન તથા ક્રુ પણ સાથે હતા.