‘Sasural Simar Ka 2’થી સુમિત ભારદ્વાજ ટીવી પર ફરશે પાછા, શોમાં જોવા મળશે અમેઝિંગ ટ્રેક

|

Oct 28, 2021 | 11:35 PM

સુમિત ભારદ્વાજની એન્ટ્રી 'સસુરાલ સિમર કા 2'માં થવાની છે. અભિનેતા લાંબા સમયથી ટીવીથી દૂર હતા. શોમાં તે આરવ અને સિમરના જીવનમાં શું ટ્વિસ્ટ લાવે છે. આ જોવું રસપ્રદ રહેશે.

Sasural Simar Ka 2થી સુમિત ભારદ્વાજ ટીવી પર ફરશે પાછા, શોમાં જોવા મળશે અમેઝિંગ ટ્રેક
Sumit Bharadwaj

Follow us on

કલર્સ ટીવીના સૌથી લોકપ્રિય શો ‘સસુરાલ સિમર કા 2’ (Sasural Simar Ka 2)માં દર્શકોને આવનારા દિવસોમાં નવા ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. શોમાં હાલમાં આરવ અને સિમરના લવનો ટ્રેક બતાવવામાં આવી રહ્યો છે. બંનેનો રોમાન્સ પૂરજોશમાં છે. બંનેએ એકબીજાને પ્રેમ વ્યક્ત કર્યો છે અને તેમના લગ્નથી ખૂબ જ ખુશ છે. દર્શકો ઘણા સમયથી આ ટ્રેક જોવા માંગતા હતા. સિમર અને આરવની જોડી ચાહકોને પસંદ છે. આ શોમાં એક નવા પાત્રની એન્ટ્રી થવાની છે, જે સુમિત ભારદ્વાજે ભજવી છે.

 

સુમિત એક ઝનુની મ્યુઝીક કમ્પોઝર સમર ખન્નાની ભૂમિકા ભજવશે. આરવ સમરને સિમરનું પોતાનું મ્યુઝિક આલ્બમ બનાવવા માટે હાયર કરે છે. ટોચના વર્ગના કલાકારો સાથે કામ કરી ચૂકેલા સંગીતકારને સિમરની ક્ષમતા પર સંપૂર્ણ વિશ્વાસ નથી, પરંતુ તે સિમર સાથે કામ કરવાનું નક્કી કરે છે અને સિમરને મળે છે. દર્શકો જોશે કે સમર ખન્ના (સુમિત ભારદ્વાજ) સિમરના જીવનમાં ઉમ્મીદથી વધારે કેટલાક વળાંકો લાવતો દેખાશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

સુમિતે કહ્યું, હું સ્ક્રીન પર પાછા ફરવાની રાહ જોઈ રહ્યો હતો

આ પાત્ર ભજવવા પર સુમિત ભારદ્વાજે (Sumit Bharadwaj) કહ્યું, “ક્વોરેન્ટાઈનને કારણે આવેલી નિસ્તેજતા પછી હું મારા દર્શકો અને ચાહકો માટે કંઈક સારું કરવા માંગતો હતો. જોકે, મને સ્ક્રીન પર હોવાની યાદ આવતી હતી અને કામ પર પાછા આવવાની રાહ જોઈ શકતો ન હતો, તેથી મેં મારું પુનરાગમન કરવા માટે આ બહેતરીન શોમાંથી આ મનોરંજક અને ઉત્સાહી પાત્ર પસંદ કર્યું. તે મને અને મારી કુશળતાને એક નવું પરિણામ આપશે.

 

સમર ખન્નાનું પાત્ર ખૂબ જ રિલેટેબલ છે અને હું તેની સાથે ન્યાય કરીશ. હું સમર ખન્નાના નક્કર અને આત્મવિશ્વાસુ વ્યક્તિત્વ સાથે ફરી એકવાર દર્શકો સાથે જોડાવા માટે ઉત્સુક છું અને આ પાત્રને યાદગાર બનાવવા માટે આતુર છું.” વિવાન અને રીમાના સંબંધોમાં ‘સસુરાલ સિમર કા 2’માં બદલાવ જોવા મળશે.

 

 

આ પણ વાંચો :- Allu Arjun દર્શકોને અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી જોવાની કરી અપીલ, કરણ જોહરે તેમને કહ્યા રિયલ સુપરસ્ટાર

 

આ પણ વાંચો :- Shah Rukh Khanના પુત્ર આર્યનને મળી ગયા જામીન, અભિનેતાના ઘરની બહાર લાગી ભીડ, જુઓ Photos

Next Article