Raj Kundra Case: પોલીસે શર્લિન ચોપરાની 8 કલાક પૂછપરછ કરી, અભિનેત્રીને પૂછ્યા મોટા પ્રશ્નો

|

Aug 07, 2021 | 8:18 AM

મુંબઈ પોલીસના પ્રોપર્ટી સેલે શર્લિન ચોપરાને (Sherlyn Chopra) પૂછપરછ માટે બોલાવી હતી. જેના કારણે અભિનેત્રીને પોલીસ સમક્ષ હાજર થવું પડ્યું હતું. આ પૂછપરછ 8 કલાક સુધી ચાલી હતી.

Raj Kundra Case: પોલીસે શર્લિન ચોપરાની 8 કલાક પૂછપરછ કરી, અભિનેત્રીને પૂછ્યા મોટા પ્રશ્નો
Sherlyn Chopra was questioned by the police for 8 hours in the Raj Kundra case

Follow us on

પ્રખ્યાત ઉદ્યોગપતિ રાજ કુંદ્રા (Raj Kundra) હાલમાં જેલમાં છે, જ્યાં પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમ અશ્લીલ ફિલ્મોના આ રેકેટને પકડવામાં સતત લાગેલી છે. પોલીસે મુંબઈની અભિનેત્રી શર્લિન ચોપરાની (Sherlyn Chopra) પૂછપરછ કરી છે. શર્લિન સાથે આ સમગ્ર પૂછપરછ 12 વાગ્યે શરૂ થઈ હતી જે સાંજે 8 વાગ્યા સુધી ચાલી હતી. તમને જણાવી દઈએ કે, મુંબઈ પોલીસે પ્રોપર્ટી સેલ વિભાગ દ્વારા 160 CrPC હેઠળ શર્લિન ચોપરાને સમન્સ પાઠવ્યું હતું. જેના કારણે અભિનેત્રીને શુક્રવારે પોલીસ સમક્ષ હાજર થવું પડ્યું હતું.

પૂછવામાં આવ્યા ઘણા પ્રશ્નો

ખાનગી સમાચારના અહેવાલ અનુસાર, અભિનેત્રીએ કહ્યું કે “આજે હું મુંબઈ પોલીસને મળવા આવી હતી જ્યાં તેઓએ મને રાજ કુંદ્રા કેસ અને આર્મ્સપ્રાઈમ મીડિયા સાથે જોડાયેલા ઘણા પ્રશ્નો પૂછ્યા,” અભિનેત્રીએ કહ્યું કે પોલીસે તેને પૂછ્યું કે રાજ કુંદ્રા સાથે તેનો સંબંધ કેવો હતો? સાથે પૂછવામાં આવ્યું કે તે રાજની અન્ય કંપનીઓ વિશે શું જાણે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

શર્લિને રાખી સાવંત વિશે નિવેદન આપ્યું

શર્લિનએ કહ્યું કે તેણે પોલીસને ઘણી માહિતી પણ આપી છે, કારણ કે તે આ રેકેટમાં ફસાયેલી છોકરીઓને મદદ કરવા માંગે છે. તેણે પોલીસને કહ્યું કે તે જેટલા ઇચ્છે તેટલા પ્રશ્નો પૂછી શકે છે. આ દરમિયાન અભિનેત્રીએ રાખી સાવંત વિશે પણ વિરોધ દર્શાવતા કહ્યું હતું કે, તપાસ વિના રાખીએ કોઈના વિશે કશું ન કહેવું જોઈએ.

રાજ કુંદ્રા કેસ

તમને જણાવી દઈએ કે રાજ કુંદ્રા પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો (Shilpa Shetty) પતિ છે. મુંબઈ પોલીસે 19 જુલાઈની સાંજે તેના ઘરેથી તેની ધરપકડ કરી હતી. ત્યારથી તે હજુ પણ જેલમાં છે. પોલીસે શિલ્પાનીપણ પૂછપરછ કરી છે, પરંતુ આજ સુધી આ કેસમાં શિલ્પાને લગતી કોઈ કડી પોલીસને મળી નથી. જેના કારણે શિલ્પા શેટ્ટી અત્યાર સુધી આ મામલે સંપૂર્ણપણે બહાર છે. શિલ્પા શેટ્ટીએ તેના પતિ માટે ઘણી વખત જામીનની અપીલ કરી છે, પરંતુ કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે. જે બાદ આ અરજી પર સુનાવણી 10 ઓગસ્ટના રોજ થવાની છે. આ મામલે શિલ્પાએ પોતાના સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ પણ કરી છે, જેમાં તેણે કહ્યું છે કે તેને લાગે છે કે લોકો તેના પરિવાર વિશે ઘણી વાતો કરી રહ્યા છે જે એકદમ ખોટી છે. જેના કારણે તેમને આ સમયે પ્રાઇવસીની જરૂર છે.

 

આ પણ વાંચો: હની સિંહે પત્નીના ગંભીર આરોપો પર આખરે તોડ્યું મૌન, લાંબી પોસ્ટ શેર કરીને કહી આ વાત

આ પણ વાંચો: અભિનેત્રી રાની મુખર્જી નવી ફિલ્મના શુટિંગ માટે વિદેશ જવાના રવાના, જુઓ તસ્વીર

Next Article