Aryan Khan Case: સંજય દત્ત, સલમાન ખાનથી રિયા ચક્રવર્તી અને હવે શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનનો કેસ લડશે સતીશ માનેશિંદે, જાણો કોણ છે તે વકીલ

|

Oct 04, 2021 | 5:25 PM

સતીશ માનેશિંદે હાઇ પ્રોફાઇલ કેસમાં નવા આવેલા નથી. આ પહેલા પણ તે ઘણા બોલિવૂડ સ્ટાર્સના બચાવમાં કેસ લડી ચૂક્યો છે. સંજય દત્ત, સલમાન ખાન પણ રિયા ચક્રવર્તીનો કેસ લડી ચૂક્યા છે. તે પાલઘર સાધુ હત્યા કેસમાં ખાસ સરકારી વકીલ પણ છે.

Aryan Khan Case: સંજય દત્ત, સલમાન ખાનથી રિયા ચક્રવર્તી અને હવે શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનનો કેસ લડશે સતીશ માનેશિંદે, જાણો કોણ છે તે વકીલ
Adv. Satish Maneshinde

Follow us on

Aryan Khan Case: વરિષ્ઠ વકીલ સતીશ માનેશિંદેએ મેગાસ્ટાર શાહરૂખ ખાન(Shahrukh Khan)ના પુત્ર આર્યન ખાન(Aryan Khan)ની મુંબઈ ગોવા ક્રૂઝ ડ્રગ્સ એન્ડ રેવ પાર્ટી (Mumbai Goa Cruise Drugs & Rave Party) ક્રૂઝમાંથી ધરપકડ કરવામાં આવી છે.

એનસીબી (Narcotics Control Bureau- NCB) દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર સતીશ માનેશિંદે ((Adv. Satish Maneshinde)) કોર્ટમાં આર્યન ખાનની તરફેણમાં દલીલો રજૂ કરી રહ્યા છે. આ પહેલા પણ તે બોલીવુડમાં ડ્રગ્સના કેસમાં ફસાયેલા ઘણા કલાકારો અને સ્ટાર્સની તરફેણમાં કેસ લડી ચૂક્યો છે. કોણ છે (Adv. Satish Maneshinde)? તે બોલીવુડ કલાકારો માટે પસંદગીના વકીલ કેમ બની રહ્યા છે?

સતીશ માનેશિંદે વિશે કહેતા પહેલા તમને જણાવીએ કે શનિવાર-રવિવારની રાત્રે NCBએ મુંબઈના દરિયામાં ‘કાર્ડેલિયા ધ એમ્પ્રેસ’ ક્રૂઝ પર ચાલી રહેલી રેવ પાર્ટી પર દરોડા પાડ્યા હતા. આ પછી શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત આઠ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને ડ્રગ્સના ઉપયોગના સંબંધમાં પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એનસીબીનો આરોપ છે કે તેમની પાસેથી 13 ગ્રામ કોકેઈન, 5 ગ્રામ એમડી, 21 ગ્રામ ચરસ, એમડીએમએ (એક્સ્ટસી)ની 22 ગોળીઓ અને 1.33 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ પછી રવિવારે ફોર્ટ કોર્ટે આર્યન ખાનને એક દિવસ માટે NCB કસ્ટડીમાં મોકલ્યો હતો. આર્યન ખાનના બચાવમાં Satish Maneshinde આવ્યા છે.

કોણ છે આર્યન ખાનના વકીલ Satish Maneshinde?

Satish Maneshinde હાઈ પ્રોફાઈલ કેસમાં નવા આવેલા નથી. આ પહેલા પણ તે ઘણા બોલિવૂડ સ્ટાર્સના બચાવમાં કેસ લડી ચૂક્યા છે. 1993ના બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંજય દત્ત (Sanjay Dutt)ના બચાવમાં આવેલા વકીલોની ટીમમાં Satish Maneshinde પણ હતા. ખૂબ જ ગંભીર આરોપ હોવા છતાં તે સંજય દત્તને જામીન અપાવવામાં સફળ રહ્યો હતો. ત્યારથી તેમનું નામ હાઈ પ્રોફાઈલ કેસમાં દેશના સૌથી પ્રખ્યાત વકીલોમાંનું એક બની ગયું છે.

સંજય દત્તને 1993ના બ્લાસ્ટમાં અને સલમાન ખાનને 2002માં જામીન મળ્યા હતા

2002માં સલમાન ખાન (Salman Khan) સામેના કેસમાં પણ Satish Maneshindeએ ભાઈજાનનો સફળતાપૂર્વક બચાવ કર્યો અને તેને જામીન અપાવ્યા. આ સિવાય સુશાંત સિંહ રાજપૂત(Sushant Singh Rajput) ના મૃત્યુના કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી (Riya Chakraborty)અને તેના ભાઈ શૌવિકનો કેસ પણ Satish Maneshindeએ લડ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ NCB દ્વારા ડ્રગ્સ સંબંધિત કેસમાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી. આ બંનેને જામીન પણ આપવામાં આવ્યા હતા.

Satish Maneshinde પાલઘર સાધુ હત્યા કેસમાં ખાસ સરકારી વકીલ પણ છે. તેમણે 1983માં જાણીતા દિવંગત વકીલ રામ જેઠમલાણીના માર્ગદર્શન હેઠળ પોતાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. માનશિંદેએ લગભગ 10 વર્ષ સુધી રામ જેઠમલાણીની નીચે કામ કર્યું. તે પછી તેણે સ્વતંત્ર રીતે કાયદાનો અભ્યાસ શરૂ કર્યો.

આ પણ વાંચો : Britain Passenger New Rule: બ્રિટિશ નાગરિકોએ આજથી 10 દિવસ માટે ક્વોરન્ટાઈન રહેવુ પડશે, રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને નવા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના

Next Article