સામંથાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર બદલ્યું પોતાનું નામ, તસ્વીર થઈ વાયરલ

|

Oct 04, 2021 | 4:26 PM

સામંથા અક્કીનેની (Samantha Akkineni) અને નાગા ચૈતન્ય (Naga Chaitanya) વચ્ચે લાંબા સમયથી અણબનાવના અહેવાલો આવી રહ્યા હતા. હવે સામંથા અને નાગાએ અલગ થવાનો નિર્ણય કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી.

સામંથાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર બદલ્યું પોતાનું નામ, તસ્વીર થઈ વાયરલ
Samantha

Follow us on

સાઉથની ક્વીન સામંથા (Samantha)એ તેમના પતિ નાગા ચૈતન્ય (Naga Chaitanya)થી અલગ થવાનો નિર્ણય કર્યો છે. સામંથાએ શનિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને નાગાથી અલગ થયાની માહિતી આપી હતી. નાગાથી અલગ થયા બાદ સામંથાએ સોશિયલ મીડિયા પર પોતાનું નામ બદલી નાખ્યું છે.

 

સામંથાએ થોડા સમય પહેલા પણ સોશિયલ મીડિયા પર પોતાનું નામ બદલ્યું હતું. તેમણે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર પોતાનું નામ બદલીને ‘S’કર્યું હતું, ત્યારબાદ નાગા અને તેમની વચ્ચે અણબનાવના સમાચાર સામે આવવા લાગ્યા હતા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

સામંથાએ બદલ્યું નામ

સામંથાએ સોશિયલ મીડિયા પર પોતાનું નામ બદલીને ‘સામંથા’ કરી દીધુ છે. નાગાથી અલગ થયા બાદ અભિનેત્રીએ આ પહેલું કામ કર્યું છે.

 

 

સોશિયલ મીડિયા પર આપી હતી અલગ થવાની માહિતી

સામંથાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને નાગાથી તેના અલગ થવાની માહિતી આપી હતી. તેમણે લખ્યું- બધા શુભેચ્છકો માટે, ખૂબ વિચાર-વિમર્શ પછી, મેં અને ચેયે પતિ-પત્ની તરીકે અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે છેલ્લા 10 વર્ષથી મિત્રો છીએ અને અમારી મિત્રતા આ સંબંધનો આધાર હતો. અમે બધા ચાહકો અને મીડિયાને વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં અમારો સાથ આપે અને અમને આગળ વધવા માટે ગોપનીયતા આપે.

 

નાગાર્જુને શેર કર્યું હતું નિવેદન

નાગા અને સામંથાના અલગ થવાની માહિતી મળ્યા બાદ નાગાર્જુને સોશિયલ મીડિયા પર પોતાનું નિવેદન શેર કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સામંથા હંમેશા તેના પરિવાર માટે ખાસ રહેશે. નાગાર્જુને લખ્યું – ભારે હૃદયથી હું આ કહેવા માંગુ છું. સેમ અને ચેય વચ્ચે જે પણ થયું તે કમનસીબ હતું. જે કઈ પણ પતિ અને પત્ની વચ્ચે થયું તે ખૂબ જ વ્યક્તિગત છે. સેમ અને ચેય બંને મારા પ્રિય છે. મારો પરિવાર સેમ સાથે વિતાવેલી ક્ષણોને હંમેશા યાદ રાખશે અને તે હંમેશા અમારા માટે ખાસ રહેશે.

 

તમને જણાવી દઈએ કે સામંથા અને નાગા વર્ષ 2017માં લગ્નના બંધનમાં બંધાયા હતા. તાજેતરમાં સામંથા હૈદરાબાદથી મુંબઈ શિફ્ટ થઈ હોવાના અહેવાલો હતા. જેને સામંથાએ અફવા ગણાવી હતી.

 

 

આ પણ વાંચો:- Drugs Case: શાહરુખ ખાનના પુત્ર આર્યનની ધરપકડ, લઈ જવામાં આવ્યો મેડિકલ ટેસ્ટ માટે

 

આ પણ વાંચો:- સ્ટાઈલ અને લૂક્સમાં Shah Rukh Khanને પણ ટક્કર આપે છે દિકરો આર્યન, જુઓ સ્ટારકિડની ખાસ Photos

 

Published On - 11:56 pm, Sun, 3 October 21

Next Article