Sooryavanshi માટે રોહિત શેટ્ટીનું શાનદાર આયોજન, દિવાળી પર ધમાકા માટે છે તૈયાર

|

Oct 21, 2021 | 11:45 PM

આ ફિલ્મ (Sooryavanshi) અંગે ટ્રેડ પંડિતોનું વલણ હકારાત્મક છે. તેમનું માનવું છે કે આ ફિલ્મ ફરી એક વખત દર્શકોને થિયેટરમાં લાવવામાં સફળ રહેશે. આ ફિલ્મની સૌથી મોટી હાઈપ તેની સ્ટારકાસ્ટ છે.

Sooryavanshi માટે રોહિત શેટ્ટીનું શાનદાર આયોજન, દિવાળી પર ધમાકા માટે છે તૈયાર
Rohit Shetty, Akshay Kumar

Follow us on

છેલ્લા બે વર્ષથી થિયેટરો શાંત હોવાથી રોહિત શેટ્ટી (Rohit Shetty)ની ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi)ને ખૂબ મહત્વની માનવામાં આવે છે. રોહિત શેટ્ટી પોતાની ફિલ્મની રિલીઝને લઈને કોઈ કસર રાખવા માંગતા નથી. આ ફિલ્મના પ્રમોશન માટે તેમણે સૌપ્રથમ નવી રણનીતિ બનાવી. તે પછી આ ફિલ્મ સાથે સંબંધિત દરેક વસ્તુની બારીકાઈથી અમલ કરતા દેખાય રહ્યા છે. તેમણે તાજેતરમાં થિયેટરને લગતી એવી વ્યૂહરચના તૈયાર કરી છે, જેને આ ફિલ્મની સફળતા માનવામાં આવે છે.

 

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મોટાપાયે રિલીઝની તૈયારીઓ કરવામાં આવી છે

રોહિત શેટ્ટી તેની ફિલ્મ સૂર્યવંશીની રજૂઆત અને વિતરણ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. કોઈ એવી કમી નથી છોડવા માગતા જેનાથી ફિલ્મની સફળતામાં અવરોધ આવે. તેઓએ નક્કી કર્યું છે કે કોરોના પ્રકોપ હોવા છતાં તેઓ આ ફિલ્મને 5000 સ્ક્રીન પર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. જો આ શક્ય થાય તો તે એક મહાન સિદ્ધિ હશે. આનાથી ફિલ્મની સફળતા નિશ્ચિત થઈ જશે.

 

આ ફિલ્મ વિશે ટ્રેડ પંડિતોનું વલણ હકારાત્મક છે. તેમનું માનવું છે કે આ ફિલ્મ ફરી એક વખત દર્શકોને થિયેટરમાં લાવવામાં સફળ રહેશે. આ ફિલ્મની સૌથી મોટી હાઈપ તેની સ્ટારકાસ્ટ છે. જ્યારે કોઈ ફિલ્મમાં આવા મોટા સ્ટાર્સ એક સાથે દેખાશે તો ચોક્કસપણે ભીડ થિયેટરોમાં પહોંચી જશે.

 

થોડા દિવસો પહેલા ત્રણેય સ્ટાર્સે કરી હતી અપીલ

તમને જણાવી દઈએ કે સૂર્યવંશીના નિર્માતા-નિર્દેશક રોહિત શેટ્ટી પોતાની ફિલ્મના પ્રમોશન માટે કેટલીક નવી યોજનાઓ બનાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા એક પ્રમોશનલ વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણેય સ્ટાર્સ જોવા મળ્યા હતા. તે દર્શકોને થિયેટરમાં આવીને ફિલ્મ જોવા અપીલ કરી રહ્યા હતા. સૂર્યવંશીની રિલીઝની તારીખ ઘણી વખત વિલંબ કર્યા પછી આખરે આ ફિલ્મ હવે થિયેટરોમાં રિલીઝ માટે તૈયાર છે.

 

સૂર્યવંશી આ વર્ષે દિવાળી પર 5 નવેમ્બર 2021ના ​​રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર (Akshay Kumar )અને કેટરીના કૈફ (Katrina Kaif) મુખ્ય ભૂમિકામાં છે. આ સાથે અજય દેવગણ (Ajay Devgn) અને રણવીર સિંહ (Ranveer Singh) એક ધમાકેદાર કેમિયો કરતા જોવા મળશે. તેનું નિર્માણ રોહિત શેટ્ટી અને કરણ જોહર સંયુક્ત રીતે કરી રહ્યા છે.

 

 

આ પણ વાંચો :- Allu Arjunને લાગ્યો મોટો ઝટકો, ‘આર્ય 3’ માટે વિજય દેવેરકોંડાને કરવામાં આવ્યા સાઈન!

 

આ પણ વાંચો :- ‘Bunty Aur Babli 2’ના પ્રમોશનમાં લાગ્યા સૈફ અને રાની મુખર્જી, રણવીર સિંહના ‘ધ બિગ પિક્ચર’માં જોવા મળશે સ્વેગ

Published On - 12:18 am, Thu, 21 October 21

Next Article