યાદ છે આ વાત ?? કંગના રનૌતે એક સમયે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણને કર્યા હતા ખૂબ જ ટ્રોલ

કંગના રનૌતે એ બોલિવુડની એક એવી હસ્તી છે, કે જે તેની તીખી તમતમતી ટિપ્પણીઓ વડે હંમેશા પાપરાઝીઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહે છે. જો કે, તેનું સોશિયલ મીડિયા તેણી ખુદ સંભાળતી નથી.

યાદ છે આ વાત ?? કંગના રનૌતે એક સમયે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણને કર્યા હતા ખૂબ જ ટ્રોલ
Kangana on Ranbir & Deepika Padukone
| Edited By: | Updated on: Apr 03, 2022 | 8:58 PM

‘જજમેન્ટલ હૈ ક્યા’ ફિલ્મની અભિનેત્રી ઘણીવાર બોલિવૂડ સ્ટાર્સ સાથે ટ્વિટર લડાઈમાં વ્યસ્ત રહે છે. બોલિવૂડની ક્વીન એક્ટ્રેસ ગણાતી  કંગના રનૌત (Kangana Ranaut) તેના મંતવ્યો પ્રત્યે નિખાલસ અને પ્રામાણિક હોવા માટે જાણીતી છે. બોલિવૂડ ફિલ્મ નિર્માતા કરણ જોહર (Karan Johar) સાથે પણ તેની બોલાચાલી જાણીતી છે. તેણીએ કરનને તેના શોમાં ‘નેપોટિઝમનો ધ્વજ વાહક’ કહ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે, તેણીએ પણ એક વખત રણબીર કપૂરને ‘સિરીયલ સ્કર્ટ ચેઝર’ અને દીપિકાને (Deepika Padukone) ‘સ્વઘોષિત માનસિક દર્દી’ કહીને નિશાન બનાવ્યા હતા.

‘ક્વીન’ ફિલ્મની અભિનેત્રી ઘણીવાર બોલિવૂડ સ્ટાર્સ સાથે ટ્વિટર લડાઈમાં ટ્રોલ થતી રહી છે. ગાયક-અભિનેતા દિલજીત દોસાંઝ સાથેના તેમના શબ્દોના યુદ્ધને કોણ ભૂલી શકે છે? શિવસેનાના નેતા સંજય રાઉત પર તેમનો શાબ્દિક હુમલો પણ ખૂબ જાણીતો છે.

આ વાત વર્ષ 2020ની છે, જ્યારે કંગના રનૌત ટ્વિટર પર સક્રિય હતી ત્યારે તેણે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ પર આકરા પ્રહારો કર્યા હતા. તેણીએ રણબીરને ‘સિરીયલ સ્કર્ટ ચેઝર’ કહ્યો હતો અને તેની એક્સ ગર્લફ્રેંડ દીપિકા પાદુકોણને ‘સ્વ-ઘોષિત માનસિક રોગની દર્દી’ જેવા સંબોધનો આપ્યા હતા.

‘થલાઈવી’ની અભિનેત્રીએ લખ્યું હતું કે, “રણબીર કપૂર સીરીયલ સ્કર્ટ ચેઝર છે પરંતુ કોઈ તેને બળાત્કારી કહેવાની હિંમત કરતું નથી, જ્યારે દીપિકા એક સ્વ-ઘોષિત માનસિક બીમારીની દર્દી છે પરંતુ કોઈ તેને સાયકો કે ભૂત કહેતું નથી. આવા નામો ફક્ત અસાધારણ લોકો માટે આરક્ષિત છે. બહારના લોકો જે નાના શહેરો અને નમ્ર પરિવારોમાંથી આવે છે, તેમને આવી સગવડો મળતી નથી.”

કંગના રનૌતનું આ ટ્વિટ અન્ય એક ટ્વિટના જવાબમાં હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બોમ્બે વેલ્વેટ, બેશરમ અને જગ્ગા જાસૂસના રૂપમાં ફ્લોપ હોવા છતાં રણબીરે રાજકુમાર હિરાનીની સંજુ જેવી મોટી ફિલ્મ મેળવી છે. તેમને મીડિયાનું પણ સમર્થન હતું.

આ પહેલીવાર નથી કે, જ્યારે કંગનાએ ‘બ્રહ્માસ્ત્ર’ના અભિનેતા પર હુમલો કર્યો હોય. તેણીએ રણબીરને સામાજિક જવાબદારીઓથી દૂર રહેવા માટે ‘યંગસ્ટર’ ટેગનો દુરુપયોગ કરવા બદલ તેને મૂંગો પણ કહ્યો હતો. એક જાણીતી ટીવી ચેનલ સાથેની વાતચીત દરમિયાન, તેણીએ કહ્યું હતું કે, “તેમને યુવાન કહેવાની આ શું વાત છે…રણબીર કપૂર 37 વર્ષનો છે.. તે આ પેઢીનો ‘બાળક’ છે. મારા પિતા એ સમયે આધેડ વયના માણસ હતા અને આલિયા ભટ્ટ 27 વર્ષની થઈ રહી છે…27 વર્ષની ઉંમરે હું ક્વીન માટે ડાયલોગ્સ લખી રહી હતી…મને સમજાતું નથી કે આ યુવાન શું છે…  મારી માતાને 27 વર્ષની ઉંમરે ત્રણ બાળકો હતા. આ તદ્દન અયોગ્ય છે. તમે આનાથી છૂટી ન શકો.” કંગનાએ તેની વાતને અહીયા વિરામ આપ્યો હતો.

આ પણ વાંચો – કંગના રનૌતે ‘RRR’ ફિલ્મ નિહાળ્યા બાદ એસ.એસ. રાજમૌલી અંગે આપ્યું આવું રીએકશન

 

Published On - 8:55 pm, Sun, 3 April 22

Follow Us