Ranbir Kapoor-Alia Bhatt Wedding : લગ્નના સમાચાર વચ્ચે નીતુ કપૂરે રણબીર કપૂર માટે કહ્યું- ‘મારો દીકરો સારો પતિ બનશે’

|

Apr 12, 2022 | 8:38 PM

રણબીર-આલિયાના લગ્નને લઈને નીતુ કપૂર પર સતત સવાલો થઈ રહ્યા છે, જો કે નીતુ કપૂરે (Neetu Kapoor) આ વિશે એક શબ્દ પણ નથી કહ્યું, પરંતુ અભિનેત્રીએ એકવાર કહ્યું હતું કે તેનો પુત્ર ઘણો સારો પતિ સાબિત થશે.

Ranbir Kapoor-Alia Bhatt Wedding : લગ્નના સમાચાર વચ્ચે નીતુ કપૂરે રણબીર કપૂર માટે કહ્યું- મારો દીકરો સારો પતિ બનશે
Neetu Kapoor

Follow us on

Ranbir Kapoor-Alia Bhatt Marriage: રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) ના લગ્નના સમાચાર આવ્યા છે, ત્યારથી નીતુ કપૂરને પાપારાઝીઓ દ્વારા સતત સવાલ પર સવાલ કરવામાં આવી રહ્યા છે કે તેમના ઘરે લગ્ન ક્યારે થશે? જો કે નીતુ કપૂરે (Neetu Kapoor) આ વિશે એક શબ્દ પણ ન કહ્યું, પરંતુ અભિનેત્રીએ એક જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેનો પુત્ર ઘણો સારો પતિ સાબિત થશે. નીતુ કપૂરે કહ્યું હતું કે તેને આવું કેમ લાગે છે. TOI મુજબ- નીતુએ કહ્યું હતું કે, ‘મારા લગ્નજીવનમાં ઘણી સમસ્યાઓ હતી. ઋષિ કપૂરે ખૂબ પરેશાન કર્યા હતા.’ અભિનેત્રીએ જણાવ્યું હતું કે જ્યારે રણબીર કપૂર 15 વર્ષના હતા ત્યારે ઋષિ કપૂર (Rishi Kapoor) અને નીતુ કપૂર બંને તેમના જીવનના ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા.

પુત્ર અને પુત્રી માટે આવું વિચારતી હતી નીતુ સિંહ

નીતુ વિચારતી હતી કે તેની પુત્રી નિર્દોષ હોવી જોઈએ જે જીવનનો સામનો પણ કરી શકે. તેનો પુત્ર સમજદાર હોવો જોઈએ, જે દુનિયા વિશે બધું જ જાણતો હોય. તો આવી સ્થિતિમાં તે રણબીર સાથે બેસીને વાતો કરતી હતી. કલાકો સુધી તે રણબીરને કહેતી હતી કે તેમના લગ્નજીવનમાં શું સારું છે અને શું ખરાબ છે. નીતુએ જણાવ્યું હતું કે તેણે તેના પુત્રને તે બધું કહ્યું હતું જે તેને જીવનમાં સંબંધો જાળવી રાખવા માટે એક સારી શીખ આપી.

રણબીર હંમેશા તેનો બેસ્ટ ફ્રેન્ડ રહ્યો છેઃ નીતુ કપૂર

ધ ક્વિન્ટને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું હતું – રણબીર હંમેશાથી તેનો બેસ્ટ ફ્રેન્ડ રહ્યો છે. તે પોતાના દિલની દરેક વાત રણબીરને કહે છે, તે કોઈની સાથે કોઈ વાત શેર કરતી નથી. તેણે કહ્યું કે રણબીરમાં અચાનક બદલાવ આવ્યો અને તે બદલાઈ ગયો. તે પહેલેથી જ વધુ જવાબદાર વ્યક્તિ બની ગયો. આવી સ્થિતિમાં તેણે એ જરૂરી માન્યું કે રણબીરે બધું જાણવું જોઈએ જે નીતુ જાણે છે, આનો અર્થ એ થશે કે જ્યારે સમય આવશે ત્યારે રણબીર એક સારો પતિ પણ બનશે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

રણબીર કપૂર ખૂબ જ નરમ સ્વભાવનો છે

રણબીર વિશે વાત કરતાં માતા નીતુ કપૂરે કહ્યું હતું કે- રણબીર ખૂબ જ સોફ્ટ ટાઇપનો છે. તે કોઈને દુઃખી કરી શકે નહીં. તે એવી વ્યક્તિ છે જેને દાળ અને ભાત ગમે છે. તે હાઈ મેંટેનેંસ માણસ નથી. તેને હાઈ મેંટેનેંસવાળી પત્ની પણ ગમશે નહીં.

આ પણ વાંચો: ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ બાદ હવે ‘ધ કન્વર્ઝન’ નામની ફિલ્મ થશે રિલીઝ, લવજેહાદના મુદ્દા પર બની છે ફિલ્મ

આ પણ વાંચો: Dhaakad Teaser : કંગના રનૌત ખૂબ જ ઝડપે બાઇક ચલાવતી અને ગોળીઓનો વરસાદ કરતી જોવા મળી, ટીઝર એક્શનથી ભરપૂર છે

Next Article