TV9 GUJARATI | Edited By: Kunjan Shukal
Nov 17, 2021 | 11:31 PM
રાજકુમાર રાવ (Rajkumar Rao) અને પત્રલેખા (patralekha) લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ 15 નવેમ્બરે ચંદીગઢમાં સાત ફેરા ફર્યા છે. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
રાજકુમાર અને પત્રલેખાના લગ્નમાં કેટલાક ખાસ મિત્રોએ હાજરી આપી હતી. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લગ્ન બાદ રાજકુમાર અને પત્રલેખા આજે એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
રાજકુમાર અને પત્રલેખા ચંદીગઢથી મુંબઈ પરત ફર્યા છે. એરપોર્ટ પરથી બંનેની તસવીરો વાયરલ થઈ રહી છે. ફોટામાં પત્રલેખા રેડ કલરની સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે, જ્યારે રાજકુમારે વ્હાઇટ કલરનો આઉટફિટ પહેર્યો છે. બંને એકસાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.
રાજકુમાર અને પત્રલેખા એરપોર્ટ પર એકબીજાનો હાથ પકડીને જોવા મળ્યા હતા. તેમણે એરપોર્ટ પર ફોટોગ્રાફર્સ માટે પોઝ પણ આપ્યા હતા.
તમને જણાવી દઈએ કે રાજકુમાર અને પત્રલેખા 11 વર્ષથી રિલેશનશિપમાં હતા. બંનેએ સાથે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.