કપિલ શર્માના શોમાં શું પીએમ મોદી ગેસ્ટ બનીને આવશે? કોમેડિયનના બોલાવવા પર વડાપ્રધાને આપ્યો આ જવાબ

|

Mar 12, 2023 | 4:30 PM

તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કપિલ શર્માએ જણાવ્યું હતું કે, જ્યારે તે પીએમને મળ્યો હતો તે દરમિયાન તેણે પીએમ મોદીને તેના કોમેડી શોમાં ગેસ્ટ તરીકે આવવા માટે આમંત્રણ આપ્યું હતું.

કપિલ શર્માના શોમાં શું પીએમ મોદી ગેસ્ટ બનીને આવશે? કોમેડિયનના બોલાવવા પર વડાપ્રધાને આપ્યો આ જવાબ

Follow us on

કપિલ શર્મા શો એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દરેક વ્યક્તિ મહેમાન બનવા માંગે છે. મંત્રીથી લઈને બાબા અને સ્વામી સુધી બધાને કપિલનો શો ખુબ જ પસંદ છે. કપિલના મજેદાર જવાબો મહેમાનો અને પ્રેક્ષકોના દિલ જીતી લે છે. કોમેડી કિંગ્સ શોના પાર્ટિસિપન્ટ્સમાં મોટી હસ્તીઓના નામ સામેલ છે. હવે તેમાં PM નરેન્દ્ર મોદીનું નામ પણ જોડાવા જઈ રહ્યું છે. તો શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોમેડી કિંગના શોમાં ગેસ્ટ બનશે ?

શું કપિલના શોમાં આવશે પીએમ મોદી?

એક ચેનલમાં આપેલા ઈન્ટરવ્યુંમાં કપિલ શર્માએ જવાબ આપ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે ક્યારેય પીએમ મોદીને ફોન કર્યો હતો. તો કોમેડીના બેતાજ બાદશાહનો જવાબ સાંભળીને તમે પણ દંગ રહી જશો. કપિલના કહેવા પ્રમાણે પીએમ મોદીએ શોમાં આવવા અંગે હા તો નથી પાડી પણ ના પણ નથી કહ્યું.

વડાપ્રધાને આપ્યો આ જવાબ

શોમાં કપિલ શર્માને સવાલ કર્યો- શું તમે ઈચ્છો છો કે મોદીજી તમારા શોમાં ક્યારેક આવે? તેના જવાબમાં સ્ટેન્ડ-અપ કોમેડિયને કહ્યું- જ્યારે હું પીએમ મોદીને વ્યક્તિગત રૂપે મળ્યો ત્યારે મેં તેમને કહ્યું, સાહેબ, અમારા શોમાં ક્યારેક આવો. તે સમયે તેમણે મને ના નહોતી પાડી, તેમણે કહ્યું – હવે મારા વિરોધીઓ જ ખૂબ કોમેડી કરી રહ્યા છે… ક્યારેક આવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કપિલની ફિલ્મ Zwigato 17 માર્ચે રિલીઝ થશે

આ દરમિયાન કપિલ શર્માએ તેના જીવનના ડાર્ક તબક્કા વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે તેણે આત્મહત્યા વિશે વિચારવાનું શરૂ કર્યું. તેને લાગ્યું કે આ દુનિયામાં તેનું પોતાનું કોઈ નથી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કપિલની ફિલ્મ Zwigato 17 માર્ચે રિલીઝ થવા જઈ રહી છે. આ દિવસોમાં તે આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. Zwigato ખૂબ જ ગંભીર વિષય પર આધારિત ફિલ્મ છે.

કોમેડિયન કપિલ શર્માએ ખૂબ જ ઓછા સમયમાં મનોરંજનની દુનિયામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. પોતાના જોક્સથી દર્શકોનું મનોરંજન કરનાર કપિલનો ‘ધ કપિલ શર્મા શો’ પણ ઘણો લોકપ્રિય છે. બોલિવૂડ સેલિબ્રિટી ઘણીવાર તેમની ફિલ્મોના પ્રમોશન માટે આ શોમાં આવે છે. આ શોમાં બોલિવૂડની સાથે સાથે ક્રિકેટ અને અન્ય સેલિબ્રિટીઓ પણ ભાગ લે છે.

Next Article