Death Anniversary : યારોના યાર હતા ઓમ પુરી, પોતાનો જીવ દાવ પર લગાવીને આ દિગ્ગજ અભિનેતાનો જીવ બચાવ્યો હતો

|

Jan 06, 2022 | 1:37 PM

આ યાર બીજુ કોઈ નહીં પણ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ છે. આ ઘટનાનો ખુલાસો નસીરુદ્દીન શાહે તેમની આત્મકથા And Then One Day: A Memoir માં કર્યો છે.

Death Anniversary : યારોના યાર હતા ઓમ પુરી, પોતાનો જીવ દાવ પર લગાવીને આ દિગ્ગજ અભિનેતાનો જીવ બચાવ્યો હતો
OM Puri death anniversary

Follow us on

Death Anniversary :  ઓમ પુરીના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. ઓમ પુરી બોલિવૂડના(Bollywood) એ સ્ટાર હતા, જેમણે હંમેશા પોતાની કોમેડી અને વિલનના અભિનયથી લોકોનું મનોરંજન કર્યું હતું. તેણે તેની કારકિર્દીમાં શ્રેષ્ઠ ફિલ્મો (Best Film) આપી છે, જેમાં ‘અર્ધ સત્ય’, ‘આક્રોશ’, ‘માલામલ વીકલી’, ‘ચાઇના ગેટ’, ‘નરસિમ્હા’ અને ‘માચીસ’ જેવી ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે.

ઓમ પુરી એક મહાન અભિનેતા સાથે સારા વ્યક્તિ પણ હતા. સામાન્ય લોકોથી લઈને મિત્રો સુધી, ઓમ પુરી બધાની મદદ માટે આગળ ઊભા રહેતા હતા. તેને યારાનો યાર પણ કહેવામાં આવતા હતા. તમને જણાવી દઈએ કે, યારો ના યાર કહેવા પાછળ એક મોટી ઘટના છે, જેનાથી ઓમ પુરીના ચાહકો કદાચ અજાણ હશે. આજે ઓમ પુરીની પુણ્યતિથિ (Om Puri Death Anniversary) છે,ત્યારે આજે અમે તમને આ ઘટનાથી અવગત કરીશુ.

આ બોલિવૂડ દિગ્ગજનો જીવ બચાવ્યો હતો

શું તમે જાણો છો કે ઓમ પુરીએ એક વખત પોતાના ખાસ મિત્રનો જીવ બચાવવા માટે પોતાનો જીવ દાવ પર લગાવી દીધો હતો. જી હા, આ સાચું છે અને આ મિત્ર બીજુ કોઈ નહીં પણ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah)છે. આ ઘટનાનો ખુલાસો નસીરુદ્દીન શાહે તેમની આત્મકથા એન્ડ ધેન વન ડેઃ અ મેમોયરમાં કર્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ ઘટના વર્ષ 1977માં એક રેસ્ટોરન્ટમાં બની હતી અને નસીરુદ્દીન પર છરી વડે હુમલો કરનાર વ્યક્તિ તેનો જૂનો મિત્ર હતો, જેનું નામ જસપાલ હતું. તેણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ઓમ પુરીએ ટેબલની આજુબાજુ કૂદીને હુમલાખોરને વશ કર્યો હતો. આ પછી તે તેને હોસ્પિટલ લઈ ગયા અને તેનો જીવ બચાવ્યો.

નસીરુદ્દીન શાહે તેમના પુસ્તકમાં લખ્યું છે, હું અને ઓમ 1977માં રિલીઝ થયેલી ફિલ્મ ભૂમિકાના શૂટિંગ દરમિયાન ડિનર કરી રહ્યા હતા, ત્યારે જસપાલ આવ્યો, જેને હું ઘણા સમયથી ઓળખતો હતો, તેણે ઓમ પુરીને શુભેચ્છા પાઠવી. બાદમાં મારી જાણ બહાર તેણે છરી વડે મારા પર હુમલો કર્યો જો કે ઓમ પૂરી સાથે હોવાથી મારો જીવ બચી ગયો હતો.

આ પણ વાંચો : Chakda Xpress Teaser : ઝુલન ગોસ્વામી તરીકે અનુષ્કાનો દમદાર રોલ, જાણો ક્યાં જોઈ શકશો આ ફિલ્મ

Next Article