Naam Film : અજય દેવગન પોતાનું ‘નામ’ અને ઓળખ શોધવા આવી રહ્યો છે, જાણો તેના નવા પ્લાન વિશે

|

Apr 27, 2022 | 7:30 PM

અજય દેવગણ (Ajay Devgn) આ દિવસોમાં તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રનવે 34'ના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે. આ ફિલ્મ આગામી તા. 29 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત અમિતાભ બચ્ચન અને રકુલ પ્રીત સિંહ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Naam Film : અજય દેવગન પોતાનું નામ અને ઓળખ શોધવા આવી રહ્યો છે, જાણો તેના નવા પ્લાન વિશે
Ajay Devgn (File Photo)

Follow us on

અજય દેવગણ (Ajay Devgn) દરરોજ ચર્ચામાં રહે છે. તેની તાજેતરની વેબ સિરીઝ ‘રુદ્ર’માં (Web Series Rudra) ભજવેલા તેના પાત્રે લોકોના દિલ જીતી લીધા હતા. આ સિવાય તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યો હતો, અને એસ.એસ. રાજામૌલીની ફિલ્મ ‘RRR’માં તેણે રામ ચરણ તેજાના પિતાની ભૂમિકા ભજવી હતી. આ તમામ ફિલ્મોમાં તેના રોલના ખૂબ વખાણ થયા હતા અને હવે વધુ એક ફિલ્મના સમાચાર આવી રહ્યા છે. હવે અજય દેવગન સસ્પેન્સ સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ ‘નામ’માં જોવા મળવાનો છે.

આ ફિલ્મને અનીસ બઝમીએ ડિરેક્ટ કરી છે

‘નામ’ ફિલ્મ રિલીઝ માટે સંપૂર્ણપણે તૈયાર છે. જેમાં અજય દેવગન લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મની રિલીઝને લઈને ફિલ્મમેકર્સની નજર મે-જુલાઈ પર ટકેલી છે. જો કે, આ ફિલ્મ OTT પર રિલીઝ થશે કે થિયેટરોમાં તે અંગે કોઈ સત્તાવાર માહિતી હજુ સુધી બહાર આવી નથી.

ફિલ્મની રિલીઝ સાથે જોડાયેલી માહિતી શેર કરતાં ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાએ ટ્વિટર પર લખ્યું કે, ”અજય દેવગનની ફિલ્મ ‘નામ’ અનીસ બઝમી દ્વારા નિર્દેશિત આ ઉનાળામાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ એક સસ્પેન્સ સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ છે, જેમાં દર્શકો અભિનેતાના એક્શનનો આનંદ માણી શકશે. આ ફિલ્મનું નિર્માણ #RoongtaEntertainment દ્વારા કરવામાં આવ્યું છે.”

આ ફિલ્મ એક મનોવૈજ્ઞાનિક થ્રિલર છે. જેમાં એક માણસ પોતાની યાદશક્તિ ગુમાવી બેસે છે અને પોતાની ઓળખ શોધવા માટે પ્રવાસ પર નીકળે છે. નામ ફિલ્મનું શૂટિંગ સ્વિટ્ઝર્લેન્ડ અને મુંબઈમાં કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અજય દેવગનની અનીસ બઝમી સાથેની આ ચોથી ફિલ્મ છે. આ પહેલા અજય દેવગણે અનીસ બઝમી સાથે હસલ, પ્યાર તો હોના હી થા અને દીવાનગી જેવી ફિલ્મો કરી છે.

આ ફિલ્મ ગુજરાત સ્થિત રિયલ એસ્ટેટ મોગલ અને બોલિવૂડ નિર્માતા અનિલ રૂંગટા દ્વારા કરવામાં આવી છે. આ ફિલ્મ રૂંગટા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ રિલીઝ થશે. આ અંગે અનિલ રૂંગટા કહે છે કે, ”નામ ફિલ્મ મારા માટે ખરેખર ખાસ છે કારણ કે ધમાલ બાદ અજય અને અનીસની સુપરહિટ જોડીનો આ ચોથો પ્રોજેક્ટ છે. અજય દેવગન સાથે કામ કરવું ખરેખર અદ્ભુત છે. તે દરેક પાત્રને ભજવવા માટે સખત મહેનત કરે છે પરંતુ તેમ છતાં તે સ્ક્રીન પર હંમેશા આરામદાયક લાગે છે.”

 

આ પણ વાંચો – 3400થી પણ વધૂ એપિસોડ ધરાવતી TMKOCની ટીમથી થઈ આવી ભૂલ, જાણો જેઠાલાલની ટીમે શું આપ્યો જવાબ

 

Next Article