Naagin 6: શેષ નાગિન પ્રથાના પિતા જ છે દેશનો સૌથી મોટો અસુર, દેશને બરબાદ કરવાની નવી યોજના બનાવી

|

Apr 17, 2022 | 5:07 PM

Naagin 6: 'સર્વશ્રેષ્ઠ શેષ નાગિન' પ્રથા (Tejaswi Prakash) તેના દેશના દુશ્મનોનો નાશ કરવા માંગે છે. તેથી જ તે રિષભ ગુજરાલ સાથે લગ્ન પણ કરે છે. પ્રથાની સામે આજે તેનો નવો દુશ્મન આવી રહ્યો છે.

Naagin 6: શેષ નાગિન પ્રથાના પિતા જ છે દેશનો સૌથી મોટો અસુર, દેશને બરબાદ કરવાની નવી યોજના બનાવી
Pratha & Rishbh Gujral (File Photo)

Follow us on

કલર્સ ટીવીના (Colors Tv) અત્યારે સૌથી લોકપ્રિય કાલ્પનિક રિયાલિટી શો ‘નાગિન’ 6માં (Naagin 6), શેષ નાગિન પ્રથા (Tejaswi Prakash) હજી પણ અજાણ છે કે તેના પિતા દેશનો સૌથી મોટો રાક્ષસ છે. કારણ કે, શેષ નાગિન ક્યારેય વિચારી પણ ન શકે કે તેના પોતાના પિતા આ દેશને છેતરીને તેમાં મહામારી ફેલાવવાની યોજના બનાવી રહ્યા છે. આજના એપિસોડમાં આપણે જોયું કે પ્રથા તેના પિતાને ગુજરાલ હાઉસ લાવે છે અને તે તેના પિતાનું રહસ્ય તેના સાસરિયાઓથી છુપાવે છે અને તે તેમને કહે છે કે તેના ગુરુ તેની સાથે આવ્યા છે.

તો આ બાજુ પ્રથાના પિતા પણ ગુજરાલ હાઉસમાં પ્રવેશ્યા બાદ ખૂબ જ ખુશ છે કારણ કે તેઓ તેમના મુકામથી એક ડગલું નજીક છે. ભલે પ્રથાના પિતા દેશમાં રોગચાળો ફેલાવીને તેનો નાશ કરવા માંગે છે, પરંતુ તેઓ તેમની પુત્રીઓને નિશાન બનાવવા માંગતા નથી.

પરંતુ તેમ છતાં તેણે ખૂબ કુશળતાથી તેની પુત્રીઓના હાથે દેશને બરબાદ કરવાની યોજના બનાવી છે. પ્રથાના જન્મદિવસના પ્રસંગે તે તેની સાથે તેના જૂના ઘરે જાય છે. પ્રથા, જૂના ઘરની મુલાકાત લઈને તેની બહેન અને પિતા સાથે ભગવાન શિવની પ્રાર્થના કરે છે. આ દરમિયાન શેષ નાગિન પ્રથા તેની નાભિમાં રહેલી નાગમણી ભગવાન શિવને સમર્પિત કરે છે.

નાગમણીની ચોરી થઈ જાય છે

નાગમણીને ભગવાન શિવને સમર્પિત કર્યા પછી શેષ નાગિન પ્રથા ભગવાન શિવ પર દૂધનો અભિષેક કરે છે અને પછી નાગમણી પાછી લઈ પ્રથા તેને પાણીના પાત્રમાં મૂકીને ભગવાન શિવના ધ્યાનમાં લીન થઈ જાય છે. તેમની બંને દીકરીઓને શિવનું ધ્યાન કરતી જોઈને તેમના પિતા અસલી નાગમણીને ગુપ્ત રીતે પોતાના ખિસ્સામાં રાખે છે અને તેના બદલે હું નકલી નાગમણીને પાણીના વાસણમાં મૂકી દે છે. તેના પિતાની છેતરપિંડીથી અજાણ, પ્રથા તેની નાભિમાં નકલી નાગમણીને ફરીથી સ્થાપિત કરી દે છે. નાગમણી તેના પિતાના હાથમાં આવ્યા બાદ હવે તેનું નવું આયોજન શરૂ થાય છે.

પ્રથાની શક્તિઓ છીનવાઈ ગઈ છે

જો કે પ્રથાને હજુ ખ્યાલ નથી આવતો કે તેની તમામ શક્તિઓ છીનવાઈ ગઈ છે. હકીકતમાં શેષ નાગિનની બધી શક્તિઓ તેના નાગમણીમાં છે અને તેના વિના તે કંઈ કરી શકતી નથી. આવી સંવેદનશીલ પરિસ્થિતિમાં જો કોઈ પ્રથા પર હુમલો કરે છે તો તે પોતાને જરા પણ બચાવી શકશે નહીં. જે રીતે પ્રથાના પિતાને ડર હતો તેમ તેની પુત્રી સાથે પણ થવાનું છે.

કારણ કે જે દુકાનમાં તેના પિતા રિષભ સાથે ખરીદી કરવા ગયા છે, ત્યાં લૂંટારુઓ બંદૂક સાથે ઘૂસ્યા છે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે શેષનાગિન પ્રથા અને તેના પતિ રિષભ કેવી રીતે પોતાને તેમની ચુંગલમાંથી કેવી રીતે બચાવે છે…??

આ પણ વાંચો  – Naagin 6 : ‘શેષ નાગિન’ પ્રથાના પિતાનો ખૂલ્યો સૌથી મોટો રાઝ, કોણ છે 5મો અસુર?

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

 

Next Article