‘મહાભારત’ના ‘ કૃષ્ણ ‘ છે Shweta Tiwariના ફેન, ‘ખતરો કે ખિલાડી 11’ના શૂટ વખતે જોઈને થઈ ગયા આશ્ચર્યચકિત

|

May 21, 2021 | 7:52 PM

સૌરભે તેમના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર કેપટાઉનથી ઘણા ફોટાઓ અને વીડિયો શેર કર્યા છે. ખતરો કે ખિલાડીમાં શ્વેતા તિવારી પણ ભાગ લઈ રહી છે. જ્યારે શૂટિંગ દરમિયાન સૌરભે શ્વેતાને જોઈ ત્યારે તેમના માટે તે ફેન મોમેન્ટ હતી.

મહાભારતના  કૃષ્ણ  છે Shweta Tiwariના ફેન, ખતરો કે ખિલાડી 11ના શૂટ વખતે જોઈને થઈ ગયા આશ્ચર્યચકિત
Shweta Tiwari, Saurabh Jain

Follow us on

‘મહાભારત’માં કૃષ્ણનો રોલ કરનાર અભિનેતા સૌરભ જૈન (Saurabh Jain)આજકાલ કેપટાઉનમાં છે. જ્યાં તે સ્ટંટ આધારિત રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી 11’માં ભાગ લઈ રહ્યા છે. સૌરભે તેમના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર કેપટાઉનથી ઘણા ફોટાઓ અને વીડિયો શેર કર્યા છે. ખતરો કે ખિલાડીમાં શ્વેતા તિવારી (Shweta Tiwari)પણ ભાગ લઈ રહી છે. જ્યારે શૂટિંગ દરમિયાન સૌરભે શ્વેતાને જોઈ ત્યારે તેમના માટે તે ફેન મોમેન્ટ હતી.

 

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

શ્વેતા તિવારી સાથે શેર કર્યા ફોટા

સૌરભ શ્વેતાના ત્યારથી ફેન છે, જ્યારથી સીરિયલ ‘કસૌટી જિંદગી કી’ પ્રસારિત થઈ હતી. ઈન્સ્ટાગ્રામ પર સૌરભે તસ્વીરો પોસ્ટ કરી છે. જેમાં તે શ્વેતા તિવારી સાથે છે. એક તસવીરમાં સૌરભ, શ્વેતા તિવારીને આશ્ચર્યજનક પ્રતિક્રિયા આપી રહ્યા છે, જ્યારે શ્વેતા કેમેરા તરફ જોતી વખતે સૌરભથી પોતાનો ચહેરો છુપાવી રહી છે.

 

શાળાના દિવસો દરમિયાન જોતા હતા શો

તસ્વીર સાથે અભિનેતા લખે છે કે ‘મને યાદ છે જ્યારે હું 12 ધોરણમાં બોર્ડિંગ સ્કૂલમાં ભણતો હતો. સાડા ​​આઠ વાગ્યે અમે શ્વેતાજીને જોવા માટે અમારા વોર્ડનની બારી પાસે દોડી જતા. “કસૌટી જિંદગી કી” અમારા બધા માટે આશ્ચર્યથી ભરેલી હતી.

 

 

શ્વેતા તિવારીને મળવું ‘ફેન મોમેન્ટ’ જેવું

તેમણે વધુમાં લખ્યું છે કે ‘ વિશ્વાસ રાખો જ્યારે હું પહેલીવાર આ શો દરમિયાન મળ્યો તો આ મારા માટે ફેન મોમેન્ટની જેમ હતું. મેં તેમને તે દિવસો વિશે જણાવ્યું અલબત્ત તે હંમેશાની જેમ વિનમ્ર હતી. કોઈ એવાની સાથે સ્ક્રીન શેર કરવાનું સન્માનની વાત છે, જેને તમે સ્ક્રીન પર જોયેલી અને તમે તેમની પ્રશંસા કરો છો. ‘ સૌરભની આ પોસ્ટને શ્વેતા તિવારીએ લાઈક કરી છે.

 

 

 

મહાભારતથી મળી હતી ઓળખ

તમને જાણાવી દઈએ કે સૌરભને સ્ટાર પ્લસ પર પ્રસારિત સિરીયલ ‘મહાભારત’માં ‘ કૃષ્ણ’ના પાત્રથી ઓળખ મળી હતી. આ શો વર્ષ 2013-14માં પ્રસારિત થયો હતો. આ સિવાય તેમણે ‘ભક્તોની ભક્તિમાં શક્તિ’, ‘કર્મફલ દાતા શનિ’, ‘મહાકવિ’, ‘રાધા કૃષ્ણ’, ‘ચંદ્રગુપ્ત મૌર્ય’ અને ‘નચ બલિયે 9’માં કામ કર્યું છે.

 

આ પણ વાંચો: Birthday Special : અભિનય હોય કે કુસ્તી, દરેક વસ્તુમાં પરફેક્ટ છે Mohanlal, વાંચો – સુપરસ્ટારને લગતી 10 અણનમ વાતો

Published On - 7:51 pm, Fri, 21 May 21

Next Article