Katrina Kaif એ બ્રેકઅપ પછી કહ્યું, Ranbir Kapoor નાં પરિવારની નજીક જ નોહતી જેટલુ હોવું જોઈએ

|

Mar 27, 2021 | 11:48 AM

કેટરિના કૈફે ઇન્ટરવ્યુના અંતમાં કહ્યું, 'હું રણબીરના પરિવારની કયારે પણ એટલી નિકટ નહોતો જેટલી મારે હોવુ જોઈએ. હવે જ્યારે પણ હું લગ્ન કરવાનું નક્કી કરીશ, મારા માટે કુટુંબ સૌથી મહત્વપૂર્ણ પરિબળ રહેશે.

Katrina Kaif એ બ્રેકઅપ પછી કહ્યું, Ranbir Kapoor નાં પરિવારની નજીક જ નોહતી જેટલુ હોવું જોઈએ
Katrina Kaif

Follow us on

બોલીવુડ અભિનેતા રણબીર કપૂરનું નામ આ દિવસોમાં આલિયા ભટ્ટ સાથે સંકળાયેલ છે, પરંતુ એક સમયે કેટરિના કૈફ સાથેના તેમના સંબંધોના સમાચાર એકદમ સામાન્ય હતા. જો કે, આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને આખરે બંને અલગ થઈ ગયા. કેટરિના- રણબીરના બ્રેકઅપને લઈને પણ ઘણા જુદા જુદા સમાચારો બહાર આવ્યા છે.

ઓળખ નહીં ગુમાવવી જોઈએ

બ્રેકઅપ પછી કેટરિના કૈફે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘હું હંમેશાં ઘણી ભાવનાશીલ અને સંવેદી રહી છું. મેં ક્યારેય કોઈને બદલવાનો પ્રયાસ કર્યો નથી, અને હું ન તે કરવા જઇ રહી છું. એક સ્ત્રી તરીકે, મેં એક વાત શીખી કે આપણે ક્યારેય પોતાની ઓળખ ગુમાવી ન જોઈએ. ‘

એકલા આવ્યા અને એકલા જઇશું

કેટરિનાએ ઇન્ટરવ્યુમાં આગળ કહ્યું કે, ‘આપણે આ દુનિયામાં એકલા આવ્યા છીએ અને એકલા જઇશું, અને કોઈએ પણ આ વાત ક્યારેય ભૂલવી ન જોઈએ. હું લોકો પર મારી ઇચ્છા લાદી શકતી નથી, તેમની પસંદગી તેમની પોતાની છે, જે મને ખુશ નથી આપતી. ‘

 

 

કુટુંબ મારા માટે સૌથી મહત્વપૂર્ણ છે

પોતાની વાત ચાલુ રાખતા કેટરિના કૈફે ઇન્ટરવ્યુના અંતમાં કહ્યું, ‘હું રણબીરના પરિવારની કયારે પણ એટલી નિકટ નહોતો જેટલી મારે હોવુ જોઈએ. હવે જ્યારે પણ હું લગ્ન કરવાનું નક્કી કરીશ, મારા માટે કુટુંબ સૌથી મહત્વપૂર્ણ પરિબળ રહેશે. ‘

નીતુને ગમતી નહોતી કેટરિના !

જો કે આ સિવાય મીડિયામાં એવા ઘણા અહેવાલો આવ્યા હતા કે રણબીરની માતા નીતુ કપૂરને કેટરિના કૈફ પસંદ ન હતી અને તેમણે દરેક પાર્ટીથી અંતર કાપી નાખ્યું હતું જેમાં રણબીરની સાથે કેટરિના ભેગી હતી. આ સાથે જ સલમાન ખાન પણ રણબીર-કેટરિનાના બ્રેકઅપનું એક કારણ હોવાનું કહેવામાં આવે છે.

વિક્કી કૌશલ સાથે જોડવામાં આવી રહ્યું છે કેટરીનાનું નામ

શું હતું, રણબીર અને કેટરીનાના બ્રેકઅપ માટેનું ચોક્કસ કારણ તે માત્ર બે સ્ટાર જ સચોટ રીતે કહી શકે છે. જો કે, એક તરફ જ્યાં રણબીર કપૂરનું નામ આલિયા ભટ્ટ સાથે જોડાય છે, ત્યાં બીજી તરફ કેટરિના કૈફ અને વિક્કી કૌશલને લઈ સમાચારોનું બજાર ગરમ છે.

 

 

 

આ પણ વાંચો : Dia Mirza – વૈભવ રેખી લગ્નના 1 મહિના પછી હનીમૂન પર પહોંચ્યા માલદિવ્સ, શેર કરી ખાસ પોસ્ટ

આ પણ વાંચો : Asha Bhosle ને મહારાષ્ટ્ર સરકાર આપશે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ, આશા ભોંસલેએ કહી આ વાત

 

Next Video