કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’ની રિલીઝ ડેટ થઇ જાહેર, આ દિવસથી સિનેમાઘરમાં મચાવશે ધુમ

|

Dec 08, 2021 | 7:48 AM

બોલિવૂડ ક્વીન કંગના રનૌતે (Kangana Ranaut) મંગળવારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મની એક તસવીર શેર કરી છે. તે પાઈલટના ડ્રેસમાં જોવા મળી રહી છે. 

કંગના રનૌતની ફિલ્મ તેજસની રિલીઝ ડેટ થઇ જાહેર, આ દિવસથી સિનેમાઘરમાં મચાવશે ધુમ
Tejas

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની (Kangana Ranaut) મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘તેજસ’ (Tejas)ની રિલીઝ ડેટ સામે આવી છે. આ ફિલ્મની રિલીઝની થવાની ફેન્સ કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા દ્વારા ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. ‘તેજસ’ દશેરાના અવસર પર એટલે કે 5 ઓક્ટોબર 2022ના રોજ રિલીઝ થશે. કંગનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને ફેન્સને આ ખુશખબર આપી છે.

કંગના રનૌતે મંગળવારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મની એક તસવીર શેર કરી છે. તે પાઈલટના ડ્રેસમાં જોવા મળી રહી છે. તસવીર શેર કરતા એક્ટ્રેસેએ લખ્યું, ‘તમારા માટે એક એવી મહિલાની પ્રેરણાદાયી વાર્તા લાવી રહ્યો છું જેણે આકાશ પર રાજ કરવાનો નિર્ણય લીધો છે. તેજસ દશેરા 5મી ઓક્ટોબર 2022ના રોજ તમારી નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

આ ફિલ્મનું નિર્દેશન સર્વેશ મેવાડાએ કર્યું હતું

નોંધનીય છે કે ફિલ્મ ‘તેજસ’માં કંગના રનૌત એરફોર્સના પાયલોટ તેજસ ગિલની ભૂમિકામાં છે. આ ફિલ્મ સર્વેશ મેવાડા દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. અગાઉ, કંગનાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેર કરી હતી જ્યાં તે તેની ટીમ સાથે ‘તેજસ’ માટે શૂટિંગ કરી રહી હતી. તે ત્યાં પહોંચેલા વાયુસેનાના અધિકારીઓને મળી હતી.

કંગના આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે

આ ફિલ્મ ચારે બાજુથી ચર્ચાનો વિષય બની રહે છે. કંગના પોતે પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. જો નિર્માતાઓનું માનીએ તો આ વાર્તા દરેકને પ્રેરણા આપવા અને બહાદુર સૈનિકો પર ગર્વ અનુભવવા માટે છે કારણ કે તેઓ તેમના દેશને સુરક્ષિત રાખવા માટે ઘણા પડકારોનો સામનો કરે છે.

વિવાદોની કવિન છે કંગના રનૌત.

તમને જણાવી દઈએ કે કંગના રનૌત દરરોજ વિવાદોમાં રહે છે. નવેમ્બરમાં એક્ટ્રેસે કહ્યું હતું કે ભારતની આઝાદી એક ‘ભિખારી’ હતી અને દાવો કર્યો હતો કે દેશને વાસ્તવિક આઝાદી 2014 પછી મળી જ્યારે પીએમ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકાર સત્તામાં આવી. જે બાદ કંગના ટ્રોલ થવા લાગી. તેમની પાસેથી પદ્મશ્રી પરત લેવાની માંગ કરવામાં આવી હતી. અનેક જગ્યાએ કેસ પણ નોંધાયા હતા.

આ પણ વાંચો : લો બોલો… UAEમાં હવે સાડા ચાર દિવસ જ વર્કિંગ, શુક્રવારે હાફ ડે અને શનિવાર અને રવિવારે રહેશે વીકએન્ડ

આ પણ વાંચો : Happy Birthday Dharmendra : બોલીવુડની ડ્રિમગર્લ સાથેની પહેલી મુલાકાતમાં જ ધર્મેન્દ્રને થઇ ગયો હતો પ્રેમ, જાણો બર્થડે પર જાણી-અજાણી વાતો

Next Article